આપણા ઘરોમાં સામાન્ય રીતે જેવા મળતા વંદા આપણને અનેક હાનિકારક બેક્ટેરિયા અને વાઇરસના સંપર્કમાં લેવી શકે છે. જેના કારણે ઘણા લોકોને એલર્જીક રિએક્શન થઇ શકે છે. વંદાના મળ, લાળ અને શરીરના અલગ અલગ ભાગ દ્વારા આ આપણા સુધી ફેલાય છે.
વંદાથી થતી એલર્જીનું કારણ શું છે?
હૈદરાબાદના એપોલો ક્લિનિક્સ અને એપોલો ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચના સલાહકાર ઇન્ટરવેન્શનલ પલ્મોનોલોજિસ્ટ,ડૉ. હિતેશ બિલ્લા સમજાવે છે કે, વંદાની લાળ,મળ અથવા શરીરના ભાગોને કારણે એલર્જી ફેલાય છે. તેના સંપર્કમાં આવનારા લોકોની રોગપ્રતિકારક શક્તિ આ હાનિકારક તત્વોને ઓળખે છે.”
તેઓ વધુમાં જણાવે છે કે, આ સ્થિતિમાં આપણી રોગપ્રતિકારક શક્તિ હિસ્ટામાઇન જેવા રસાયણો મુક્ત કરે છે જેનાથી એલર્જી થાય છે.
કોકરોચ એલર્જીના લક્ષણો
ડૉ. બિલા જણાવે છે,”વંદોની એલર્જી અસ્થમા સાથે મજબૂત રીતે સંકળાયેલી છે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં વંદોનો ઉપદ્રવ વધુ જોવા મળે છે ત્યાં બાળકો, યુવાન અને વયસ્કોમાં આ સમસ્યા જોવા મળે છે. ”
તેઓ વંદાથી થતી એલર્જીના વિવિધ લક્ષણો જણાવે છે:
- છીંક
- નાકમાંથી પ્રવાહી નિકળું
- આંખોમાં ખંજવાળ આવવી કે પાણી આવવું
- નાકમાં સર્દીનો અનુભવ
- રેશિસ
- શ્વાસ લેવામાં તકલીફ
- છાતીમાં ભીંસ થવી
- ખાંસી આવવી
વંદા આપણા ઘરોમાં કેવી રીતે પ્રવેશે છે?
હૈદરાબાદના એલાર્મી સેન્ટર એન્ડ ચેસ્ટ ડિસીઝના સલાહકાર બાળરોગ નિષ્ણાત અને એલર્જીસ્ટ, ડૉક્ટર આરિફ અહેમદ જણાવે છે કે, વંદા ગરમ અને ભેજવાળા વાતાવરણની સાથે ખોરાક,પાણી અને સંતાવાની જગ્યા હોય ત્યાં સરળતા વૃદ્ધિ પામે છે. આથી રસોડું અને બાથરૂમને આ પ્રવૃત્તિ માટે સૌથી સારી જગ્યા છે.
વંદા નાના કાણાં અને તિરાડો,પાઈપ અને ગટર દ્વારા ઇમારતોમાં પ્રવેશ કરે છે. સામાન્ય રીતે તેઓ દિવસ દરમિયાન એકાંતમાં રહે છે અને રાત્રે બહાર નીકળે છે. ડૉ. અહેમદ જણાવે છે કે, “જો દિવસ દરમિયાન વંદો જોવા મળે તો સંકેત છે કે ત્યાં અનેક વંદા છુપાયેલા છે, જે મોટી મુશ્કેલીનો સંકેત આપે છે.”
ગરમ અને ભેજવાળી પરિસ્થિતિઓ પ્રત્યેના તેમના આકર્ષણને કારણે, ઉનાળાના મહિનાઓ તેમના માટે સૌથી સારો સમય છે. આ ઉપરાંત,ગરમી મહિના તેમની પ્રજનન ઋતુ છે. આમ, આ મહિનાઓમાં તેમની વસ્તી ઝડપથી વધે છે, જેથી વંદાની એલર્જી વધુ ચિંતાજનક બને છે.
વંદાની એલર્જીને કેવી રીતે ફેલાય છે?
બેંગ્લોરની મણિપાલ હોસ્પિટલના એલર્જી અને ઇમ્યુનોલોજી વિભાગના એડવાઇઝર ડૉ. મેઘના પોટલુરી જણાવે છે કે, “વંદાના એલર્જન ધૂળમાં સેટલ થાય છે સાથે જ ફર્નિચર અને કાપડમાં પણ સેટલ થાય છે. તે સફાઈ અને વેક્યુમિંગ જેવી પ્રવૃત્તિના કારણે આ કણો ઉત્તેજિત થાય છે.આ કણોને શ્વાસમાં લેવાથી એલર્જી પ્રત્યે સંવેદનશીલ હોય તેવા લોકોને એલર્જી થઈ શકે છે .”
ડૉ. પોટલુરી જણાવે છે કે, ધૂળની જીવાત અને વંદો ક્રોસ રિએક્ટ કરે છે એટલે કે વંદાના એન્ટિજેન દ્વારા ટ્રિગર થયેલા સમાન એન્ટિબોડીઝ પણ ડસ્ટ માઇટ એન્ટિજેન દ્વારા ટ્રિગર થાય છે. તદુપરાંત, જેઓ વંદાથી થતી એલર્જી માટે પોઝિટિવ હોય છે તેઓ ઘણીવાર ધૂળની જીવાતની એલર્જી માટે પણ પોઝીટિવ હોય છે.
વંદાની એલર્જીની ઓળખ અને સારવાર
વંદાથી થતી એલર્જીની ઓળખ કરવા માટે ત્વચાના પ્રિક ટેસ્ટ દ્વારા તેમજ બ્લડ ટેસ્ટ દ્વારા કરી શકાય છે. ડૉ. પોટલુરીએ બેંગ્લોરના 28 વર્ષીય શેફનો કિસ્સો યાદ કર્યો કે તે ગંભીર છીંક અને અસ્થમા માટે 12 વર્ષથી એન્ટિએલર્જિક ગોળીઓ, નાકના સ્પ્રે અને ઇન્હેલર લેતી હતી. ડૉ. પોટલુરી કહે છે, “જ્યારે તે દવા પર હતી, ત્યાં સુધી એલર્જી અંગેના કોઈ ટેસ્ટ કર્યા ન હતા. બાદમાં ટેસ્ટના પરિણામોમાં સામે આવ્યું કે તેને ધૂળની જીવાત અને કોકરોચ બંનેથી એલર્જી હતી.”
શેફ હોવાને કારણે,તેને વંદા હોય તેવા રસોડામાં સંપર્કમાં આવવાનું થયું, જેણે તેનામાં એલર્જી પેદા કરી. એલર્જી અંગે જાણ થયાં પછી, ડૉકટર્સ તેને આ સ્થિતિને વધુ અસરકારક રીતે મેનેજ કરવામાં મદદ કરી .
ડૉ. બિલ્લા કહે છે, “સારવારમાં વંદા હટાવવા, લક્ષણો મેનેજ કરવા અને ઇમ્યુનોથેરાપીનો સમાવેશ થાય છે.”
વંદાનો ઉપદ્રવ અને એલર્જી અટકાવવા ડૉ.અહેમદે કેટલીક રીત જણાવી હતી:
- ખોરાકને ખુલ્લો ન છોડો
- સિંકમાં ધોયા વગરની વાનગીઓ ન છોડો
- બેડરૂમમાં ખોરાક લેવાનું ટાળો
- ખાદ્ય પદાર્થોને સાફ કરો
- તિરાડોને સીલ કરો
ડૉ. બિલ્લા બોરિક એસિડ ધરાવતા જંતુનાશકોના ઉપયોગ સામે ચેતવણી આપે છે. તેઓ વધુમાં જણાવે છે કે,”તેના કારણે અસ્થમા વધુ વકરે છે કારણ કે જ્યારે તમે હાઇ કોન્સનટ્રેટેડ બોરિક એસિડ શ્વાસમાં લો છો, ત્યારે તે શ્વસનતંત્રમાં બળતરા થઇ શકે છે અને અસ્થમાના લક્ષણો ટ્રીગર થાય છે.” તે કહે છે.
વધુમાં, તે વંદોની એલર્જી હોય તેવા લોકોની હાજરીમાં જંતુનાશક દવાનો છંટકાવ ન કરવાની સલાહ આપે છે, કારણ કે તેમાંથી નીકળતો ધૂમાડો અને વંદો બંને એલર્જી અને અસ્થમાના લક્ષણોને વધુ ટ્રીગર કરી શકે છે.
યાદ રાખવા જેવા મુદ્દા
વંદાનું મળ, શરીરના ભાગો અને લાળ કેટલાક લોકો માટે એલર્જીકારક છે.
વંદો ગરમ અને ભેજવાળી સ્થિતિમાં ઝડપથી વૃદ્ધિ પામે છે, આથી ઉનાળાના મહિનાઓમાં તેમનો ઉપદ્રવને વધે છે.
વંદાથી થતી એલર્જીના લક્ષણોમાં અસ્થમા, ફોલ્લીઓ અને ખંજવાળ અને નાકમાંથી સતત પાણી નિકળવું છે.
વંદાને ઘરમાં વધતા રોકવા માટે તિરાડોને સીલ કરવી, સ્વચ્છતા જાળવવી અને દર છ મહિને પેસ્ટ કંટ્રોલ કરાવવું જોઇએ.