સોશિયલ મીડિયામાં ઘણી વખત વિવિધ વિષયો પર પ્રમાણિત ન હોય તેવી માહિતીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં શેર થતી હોય છે, જેમાં લેટેસ્ટ લિસ્ટમાં છે બાર્લી એટલે કે જવના સ્વાસ્થ્ય લાભ. થોડા સમય પહેલાં જ વાયરલ થયેલા એક વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે જવનું પાણી કિડનીને બચાવવા માટે ક્રિએટિનાઇનનું સ્તર ઘટાડી શકે છે અને ક્રોનિક કિડની ડિસીઝને પણ રિવર્સ કરી શકે છે. બેંગ્લોરની એસ્ટર ઇન્સ્ટિટ્યૂટ ઑફ રેનલ ટ્રાન્સપ્લાન્ટેશન,એસ્ટર હોસ્પિટલના પ્રોગ્રામ ડિરેક્ટર ડૉ.સુંદર શંકરન એ સોશિયસ મીડિયા પર જવાબ આપ્યો હતો કે “હું 40 વર્ષથી વધુ સમયથી આ ક્ષેત્રમાં નેફ્રોલોજિસ્ટ તરીકે કામ કરું છું અને હું આ માહિતીથી દૂર રહેવાની વિનંતી કરું છું.”
ડૉ. શંકરન સમજાવે છે કે ક્રોનિક કિડની ડિસીઝ (CKD)ને મેનેજ કરવા અથવા તેને રિવર્સ કરવા માટે ખોરાકની અસર પર હજી શોધ ચાલુ હોવાથી, સ્પોટલાઇટ ઘણીવાર કુદરતી ઉપચારો પર પડે છે, જેમાંથી એક જવ છે. વાઇરલ વીડિયોના જવાબમાં તેમણે વધુમાં સમજાવ્યું કે,“ જવમાં જાદુઈ સારવારના ગુણો છે એ એવું કહેવું મૂર્ખતાભર્યું છે. આવા દાવાઓ માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. હું ઈચ્છું છું અને પ્રાર્થના કરું છું કે આપણી પાસે CKD માટે સરળ ઉપાયો હોય.”
હેપ્પીએસ્ટ હેલ્થ સાથે વાત કરતા, ડૉ. શંકરને ફરી ઉલ્લેખ કર્યો કે જવના પાણીમાં ક્રોનિક કિડની ડિસીઝને દૂર કરવાની શક્તિ નથી. આ માત્ર એક અન્ય પૌરાણિક માન્યતા છે ” તેણે વધુમાં જણાવ્યું કે “જવ એ કિડની ફેલ્યોર માટે જાદુઈ ઈલાજ નથી. જો કોઈ વ્યક્તિ ડાયાલિસિસ કરાવીને તેને બંધ કરી દે અને તેના બદલે જવનું પાણી પીવાનું શરૂ કરે, તો તે જીવન માટે જોખમી બની શકે છે.” તેમણે એ પણ જણાવ્યું કે ડાયાલિસિસ કરાવતી વ્યક્તિએ દરરોજ અડધા લિટરથી વધુ પ્રવાહી ન પીવું જોઈએ.
જવનું પાણી ક્યારે ફાયદાકારક ગણાય?
ડૉ શંકરન કહે છે કે, “ જવ એ એક આખું અનાજ છે જે તેના પોષક લાભો માટે જાણીતું છે. તેમાં ફાઇબર,વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ થાય છે. તે બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે અને હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકે છે,” તેઓ ઉમેરે છે કે આ અનાજનો નીચો ગ્લાયકેમિક ઇન્ડેક્સ અને હાઇડ્રેશનમાં મદદ કરવાની અને પેશાબનું ઉત્પાદન વધારવાની ક્ષમતા તે સંતુલિત આહારમાં ફાયદાકારક ઉમેરો બનાવે છે. કિડની માટેની ઉપયોગીતા સમજાવતા તેઓ જણાવે છે કે, “તે કિડનીના પથરીને રોકવામાં મદદ કરી શકે છે, કારણ કે હાઇડ્રેશનને હંમેશા મદદ કરે છે. જવ અને જવનું પાણી હાઈડ્રેશનને પ્રોત્સાહન આપીને સામાન્ય સ્વાસ્થ્યને પણ મદદ કરે છે. આ ઉપરાંત, તે સંભવિતપણે બ્લડ પ્રેશર અને શુગરના લેવલને મેનેજ કરવામાં મદદ કરે છે.”
શું જવનું પાણી CKDને રિવર્સ કરવામાં મદદ કરે છે?
કિડની લોહીમાંથી કચરો અને વધારાનું પ્રવાહી ફિલ્ટર કરવા માટેનું મહત્વપૂર્ણ અંગ છે, જે પાછળથી પેશાબના માધ્યમથી શરીરમાંથી બહાર નીકળે છે. ક્રોનિક કિડની ડિસીઝ ધરાવતા લોકોમાં સમય જતાં કિડનીની કાર્યક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો થાય છે.
મહારાષ્ટ્રના પૂણેના રૂબી હોલ ક્લિનિક,સિનિયર કન્સલ્ટન્ટ નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન,ડૉ. અવિનાશ ઇગ્નાશિયસ પણ ડૉ. શંકરન સાથે સંમત થાય છે અને ઉમેરે છે કે જવનું પાણી CKDને રિવર્સ કરી શકે છે એવું હજી સુધી કોઈ રિસર્ચ સામે આવ્યું નથી. ડૉ. ઇગ્નાટીયસ કહે છે કે,“જ્યારે CKD થાય છે, ત્યારે કિડનીની ફિલ્ટરિંગ પ્રક્રિયા બિનકાર્યક્ષમ બની જાય છે, જે શરીરમાં કચરાના ખતરનાક સંગ્રહ તરફ દોરી જાય છે. થાક, સોજો અને પેશાબના આઉટપુટમાં ફેરફાર આ લક્ષણો સામે આવે છે. જે જીવનની ગુણવત્તાને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે,”
CKD ઘણીવાર ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી સ્વાસ્થ્ય પરિસ્થિતિઓનું પરિણામ પણ હોઇ શકે છે. નિષ્ણાતો કહે છે કે આ તેનું મેનેજમેન્ટ બહુપક્ષીય પડકારજનક બનાવે છે. વધુમાં,આ સ્થિતિ વ્યક્તિના જીવનના માર્ગને નોંધપાત્ર રીતે બદલી શકે છે, કારણ કે તેને એડવાન્સ સ્ટેજમાં ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન સહિતની સારવારની જરૂર પડે છે.
CKD ધરાવતા લોકો પર જવના પાણીની અસર
જવ પૉટેશિયમથી ભરપૂર હોય છે. ડૉ.ઇગ્નાટીયસ જણાવે છે કે જ્યારે આ ખનિજ કોષ, ચેતા અને સ્નાયુઓની કામગીરી માટે જરૂરી છે, જ્યારે CKD ધરાવતા લોકો માટે આ જીવલેણ બની શકે છે.આ સ્થિતિમાં કિડની તેને અસરકારક રીતે ફિલ્ટર કરવામાં અસમર્થ હોય છે અને લોહીમાં પોટેશિયમનું વધતું સ્તર હાનિકારક બની શકે છે. આ સ્નાયુઓની નબળાઇ, અનિયમિત હૃદયની રિધમ અને ગંભીર કિસ્સાઓમાં, તે હાર્ટ ફેલિયર તરફ દોરી જાય છે.
આ ઉપરાંત, પ્રવાહીનું વધુ પડતું સેવન પણ CKD ધરાવતા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા તરફ દોરી શકે છે. ડૉ. શંકરન જણાવે છે કે તેમના એક દર્દી, સંસ્કૃતના વિદ્વાન કે જે પૂજા કર્યા પછી ઘણું બધું પાણી પીવે છે.તે ઉમેરે છે કે,”આના કારણે,તેમને વધુ વારંવાર ડાયાલિસિસ સેશનની જરૂર પડે છે. કેટલીકવાર, તો દરરોજ સેશન લેવાની પણ જરૂર પડે છે.” આથી, CKD ધરાવતા લોકોને તેમના પ્રવાહી લેવાની આદતને નિયંત્રિત કરવાની સલાહ આપવામાં આવે છે, જેમાં જવના પાણીની માત્રાનો સમાવેશ થાય છે.
વ્યક્તિએ કઈ સાવચેતી રાખવી જોઈએ?
CKD ધરાવતા લોકોએ ખાસ કરીને જેઓ ડાયાલિસિસ કરવી રહ્યાં છે અથવા એડવાન્સ સ્ટેજમાં છે, તેઓએ તેમના પ્રવાહી અને આહારના સેવનનું મેનેજમેન્ટ કરવું જોઈએ.ડૉ શંકરન કહે છે કે,”જવના પાણી સહિત પ્રવાહીનો વધુ પડતો ઉપયોગ,પ્રવાહીના વધુ પડતા ઉપયોગ તરફ દોરી શકે છે. જે પલ્મોનરી એડીમા, ફેફસામાં પ્રવાહી ભરાવા જેવી જોખમી પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે.” તેઓ ઉમેરે છે કે,“ડાયાલિસિસ કરાવતા લોકોને વધું પેશાબ થતો નથી. તેથી, જ્યારે તેઓ વધુ પ્રમાણમાં પ્રવાહી લે છે, ત્યારે તેમને વધુ વારંવાર ડાયાલિસિસની જરૂર પડે છે અને પલ્મોનરી એડીમાના કિસ્સામાં ઇમરજન્સી ડાયાલિસિસની પણ જરૂર પડે છે.”
નિષ્ણાતો જણાવે છે કે CKDમાં ડાયટ મેનેજમેન્ટમાં પોટેશિયમ સહિતના અમુક પોષક તત્વોને માપમાં લેવા જોઇએ. ડૉ.ઇગ્નાટિયસ સમજાવે છે કે ક્રિએટિનાઇનનું સ્તર ઘટાડવામાં અથવા CKDને ઉલટાવવામાં જવની અસરકારકતા વિશેના કોઇ વૈજ્ઞાનિક પુરાવા નથી. આથી પરંપરાગત સારવાર પદ્ધતિઓ અને કન્સલ્ટિંગ નેફ્રોલોજિસ્ટ દ્વારા આપવામાં આવતી આહાર અંગેની સલાહનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
યાદ રાખવા જેવા મુદ્દા
- જવનું પાણી અનેક સ્વાસ્થ્ય લાભ આપે છે, ક્રોનિક કિડની ડિસીઝના મેનેજમેન્ટમાં તેની ભૂમિકા ઉપચારાત્મક વિકલ્પને બદલે સંતુલિત આહારનો ભાગ બનવા સુધી મર્યાદિત છે.
- એવા કોઈ પુરાવા નથી કે જવ ક્રિએટિનાઇનનું લેવલ ઘટાડે છે.
- CKD ધરાવતા લોકોએ ઓછું પોટેશિયમ લેવું જોઈએ અને પ્રવાહીનું સેવન મર્યાદિત હોવું જોઈએ. તમારા આહારમાં કંઈ પણ નવું ઉમેરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.