ઓડકાર ક્યારેક તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારે તમારા પેટમાંથી આવતા અવાજને બહાર કાઢવો જોઈએ કે તેને દબાવવો જોઈએ? જો કે આ તેના પર આધાર રાખે છે કે તમે ક્યાં છો.
આખી દુનિયામાં ઓડકારના ઘણા અર્થો છે. કેટલીક સંસ્કૃતિઓમાં એવું માનવામાં આવે છે કે તમે સરસ ભોજન કર્યું છે, કેટલાક લોકો તેને અસંસ્કારી માને છે અને તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
જ્યારે આપણે સમય સમય પર ઓડકાર ખાઇએ છીએ ત્યારે આ ઘટનાનું કારણ શું છે તેના પર આપણે ખૂબ જ ઓછો વિચાર કરીએ છીએ.
ઓડકાર શું છે?
પુણે સ્થિત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. ક્ષિતિજ કોઠારી કહે છે કે ઓડકાર એ એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે જેમાં પેટમાં ઉત્પન્ન થતો વધારાનો ગેસ મોં દ્વારા શરીરમાંથી બહાર આવે છે.
ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ, એક્સપર્ટ ક્લિનિક, બેંગલુરુ અને મણિપાલ હોસ્પિટલ, વ્હાઇટફિલ્ડ, બેંગલુરુના વિઝીટિંગ કંસલ્ટન્ટ ડૉ. રાજેશ પેંડલીમારી જણાવે છે કે “ઓડકાર અનૈચ્છિક અને સ્વૈચ્છિક બંને હોઈ શકે છે.”
ઓડકાર શા માટે થાય છે?
ડૉ. કોઠારી કહે છે કે, એસિડ અને ખોરાકની પ્રક્રિયા દરમિયાન પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે. વધારાનો ગેસ મોં બહાર આવે છે.
ઓડકારના અન્ય કારણો વિશે વિગતવાર જણાવતા તેઓ કહે છે, “જ્યારે વ્યક્તિ ઝડપથી ખાતી અથવા પીતી હોય છે, ત્યારે હવા મોંઢામાં પ્રવેશે છે અને અન્નનળીમાંથી પેટમાં જાય છે.”
આ અંગે ડૉ. પેંડલીમારી કહે છે, “મોટાભાગનો ગેસ પેટ દ્વારા શોષાય છે, જ્યારે અમુક માત્રામાં બહાર નીકળે છે. વધારાના ગેસને બહાર કાઢીને આપણે કોઈપણ અગવડતામાંથી રાહત અનુભવીએ છીએ.”
કયા ખોરાક ઓડકાર વધારી શકે છે?
ડૉ. કોઠારી કહે છે, “પાપડ, સોડાવાળા ખોરાક અને પીણાં ખાવાથી ઓડકાર આવી શકે છે. સોડા પેટમાં એસિડ સાથે પ્રક્રિયા કરે છે, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે બહાર સરળતાથી બહાર આવે છે. ઠંડા પીણા અને બીયર જેવા પીણાંમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે અને તે ઓડકારનું કારણ બને છે.”
ઉચ્ચ ફાઇબરવાળા ખોરાકને સંતુલિત આહારનો જરૂરી ભાગ માનવામાં આવે છે, જ્યારે તે બર્પિંગની વાત આવે ત્યારે તે સમસ્યાઓનું કારણ બની શકે છે.
ડૉ. કોઠારી કહે છે કે, “કઠોળ, વટાણા, મસૂર, કેટલાક ફળો અને શાકભાજી જેમ કે બ્રોકોલી, સફરજન, ટામેટા પણ પેટમાં અતિશય ગેસના સ્ત્રોત છે.” તેઓ એવો પણ ઉલ્લેખ કરે છે કે ઓડકાર જે તે વ્યક્તિની બાયોકેમિસ્ટ્રી પર આધાર રાખે છે.
ઓડકાર સામાન્ય છે?
ડૉ. કોઠારીના જણાવ્યા મુજબ, ઓડકાર એ આંતરિક સમસ્યાનું સૂચક હોવાની શક્યતા નથી. “આ કોઈપણ કાર્બનિક રોગનું જોખમી લક્ષણ નથી. તે ઓડકાર સાથે સંકળાયેલ સામાજિક માન્યતાઓના કારણે જે તે વ્યક્તિ જાગૃત બને છે.
ડૉ. પેંડલીમરી કહે છે કે ભારે ભોજન કર્યા પછી ત્રણ થી ચાર ઓડકાર આવવું સામાન્ય છે, પરંતુ વધુ પડતા ઓડકારની તપાસ થવી જોઈએ. તેઓ માને છે કે ખોરાકના લીધા વગર વારંવાર ઓડકાર આવવો એ અસામાન્ય હોઈ શકે છે. જે પેટમાં કોઇ સોજાનો સંકેત આપે છે જેને ગેસ્ટ્રાઇટિસ કહેવાય છે.
ડૉ. પેંડલીમારી કહે છે, “જે લોકો વધુ પડતા ઓડકાર ખાય છે તેઓએ ગેસ્ટ્રાઇટિસના કારણ અને ગંભીરતાને ઓળખવા માટે અપર જીઆઇ (ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ) એન્ડોસ્કોપી કરાવવી જરૂરી છે. ઘણા લોકો PPIs લે છે, જે સરળતાથી પર ઉપલબ્ધ છે. જે ઓડકારથી કામચલાઉ રાહત આપી શકે છે, પરંતુ સામાન્ય રીતે ઓડકાર ફરી આવવાની શરુઆત થઇ જાય છે.”
ઓડકાર અને હેડકી કેવી રીતે અલગ છે?
ઓડકાર અને હેડકી વચ્ચેનો તફાવત દર્શાવતા, ડૉ. પેંડલીમારી કહે છે, “હિચકીએ ડાયાફ્રેમનું અચાનક, અનૈચ્છિક સંકોચન છે. ઓડકાર સંપૂર્ણપણે પેટ સાથે સંબંધિત છે તે પેટમાં વધારાનો ગેસ બહાર આવવાનો પ્રયાસ કરે છે.
તેમણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે, જો કે હેડકીનું કારણ કોઇ સામાન્ય કારણથી માંડીને ન્યુરોલોજીકલ, લીવર અથવા પેટના રોગો સુધી હોઈ શકે છે જ્યારે ઓડકાર સંપૂર્ણપણે પેટ સંબંધિત સમસ્યા છે.
બાળકોમાં ઓડકાર
જ્યારે પુખ્ત વયના લોકો ઓડકારને સામાજિક શિષ્ટાચારની અવગણના ગણે છે ત્યારે બાળકોને ભોજનકર્યા પછી ઓડકાર ખવડાવવામાં આવે છે.
ગોવા સ્થિત બાળરોગ નિષ્ણાત અને નિયોનેટોલોજિસ્ટ ડૉ. સુવર્ણા નાઈકના જણાવ્યા અનુસાર, બાળકો જમતી વખતે હવા ગળી જાય છે. આ ગેસના કારણે તેમના પેટનું ખેંચાણ (પેટનું વિસ્તરણ), પેટનો દુખાવો (તીવ્ર રડવું) અને ઉલ્ટી થઈ શકે છે. આ પેટમાં દુખાવો અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે. ઓડકાર બાળકના પેટમાં એકઠા થયેલા ગેસથીમાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
યુનિસેફના જણાવ્યા અનુસાર, રડવું, મુઠ્ઠીઓ વાળવીએ બાળકમાં વધેલા ગેસના લક્ષણો છે.
બાળકને કેવી રીતે ઓડકાર લેવડાવવો તે વિશે વિગતવાર જણાવતા, ડૉ. નાઈક કહે છે, “બાળકનું માથું તમારા ખભા પર રાખીને બાળકને સીધું પકડી રાખો. તમારા બીજા હાથથી પીઠ થપથપાવવો. બાળકને તેના પેટ પર તમારા ખોળામાં રાખીને અથવા તેને તમારા ખોળામાં બેસાડીને અને તેની પીઠને હળવેથી થપથપાવીને પણ ઓડકાર લાવી શકાય છે.
પ્રાણીઓ પણ ઓડકાર લે છે
ઓડકાર માત્ર માણસોને જ આવે છે તેવું નથી. ગાય, બકરી અને ઘેટાં જેવા પ્રાણીઓ તેમના ઉચ્ચ ફાઇબર ધરાવતા ખોરાકને પચાવવાની આડપેદાશ તરીકે મિથેન ઉત્સર્જન કરે છે.