એલોવેરા તેના સ્કિન હીલિંગ ગુણધર્મો માટે જાણીતું છે. દરેક ઘરમાં તેનો ઉપયોગ બળતરા દૂર કરવા, સ્કીન ઇન્ફેક્શન,ત્વચા અને વાળને મોઇશ્ચરાઇઝ કરવા માટે થાય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સ્મૂધીમાં પણ ઉમેરી શકાય છે.
બેંગ્લોરના આયુર્વેદ નિષ્ણાંત આહાના નામ્બિયાર જણાવે છે કે, “એલોવેરા શુષ્ક ત્વચા એટલે કે ડ્રાય સ્કીન માટે અત્યંત ફાયદાકારક હોઈ શકે છે. ઉપરાંત, જ્યારે તેને સીધું ત્વચા કે શુષ્ક ભાગ પર લગાવવામાં આવે છે ત્યારે તે તરત જ ત્વચાને હાઇડ્રેશન આપે છે.”
આયુર્વેદની દ્રષ્ટિએ એલોવેરા
કોસ્મેટિક ઉદ્યોગમાં એલોવેરાના ઉપયોગ સાથે,એલોવેરા ઔષધીય હેતુઓ માટે સૌથી વધુ વ્યાપક રીતે ઉગાડવામાં આવે છે. એલોવેરા જ્યુસ સ્ત્રીઓના પ્રજનન તંત્ર માટે એક ટોનિક છે. નામ્બિયાર કહે છે કે,“એલોવેરા કાયાકલ્પ કરનાર અને શુદ્ધિકરણ કરનાર છે. તે 3 શારીરિક દોષને સંતુલિત કરે છે.” આથી આયુર્વેદ ચિકિત્સકો તેને કુમારી કહે છે. તે પણ એટલા માટે કારણ કે આ ઔષધિ સ્ત્રીની ઊર્જાને સંતુલિત કરે છે અને સ્ત્રી પ્રજનન અંગોને સકારાત્મક અસર કરે છે.
એલોવેરાનો ઉપયોગ ઇન્ટર્નલ અને એક્સટર્નલ રીતે થઈ શકે છે, તેને ત્વચા પર લગાવી શકાય છે સાથે જ આંતરિક ઉપયોગ માટે તેનો રસ પી શકાય છે.
આયુર્વેદ નિષ્ણાતો કબજિયાત, કોલિક ઇશ્યુ, ત્વચાની સ્થિતિ, કમળો, ઇન્ફેક્શન અને કૃમિના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે એલોવેરાના ઘરેલું ઉપચારની ભલામણ કરે છે. નિષ્ણાતો તેનો બાહ્ય ઉપયોગ માટે એલોવેરા જેલ પીવા સામે સાવચેતી રાખે છે. એલોવેરા જેલ કાઢવા માટે, છોડમાંથી એક પાકું પાન કાઢો, પછી તેની લંબાઈની દિશામાં કાપો અને જેલને સ્ક્વિઝ કરો. એલોવેરાના જ્યુસને ગ્લાસમાં ફ્રીઝરમાં સ્ટોર કરો.
પોષક તત્વોથી ભરપૂર
એલોવેરામાં લિગ્નિન તત્વની હાજરી તેના વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મોમાં ફાળો આપે છે. ઉપરાંત,અભ્યાસ દર્શાવે છે કે એલોવેરામાં એન્ટિબેક્ટેરિયલ, એન્ટિફંગલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો છે. કુંવારપાઠું એટલે કે એલોવેરામાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોવાથી,તેને તમારા નિયમિત આહારમાં સ્મૂધી, ફળોના રસ અથવા ખોરાકમાં ઉમેરવાનો પ્રયાસ કરો. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
સંશોધકોએ એલોવેરામાં 75 જેટલા સંભવિત સક્રિય ઘટકોની ઓળખ કરી છે. જેમાં ઔષધિય વિટામિન્સ, એન્ઝાઇમ, મિનરલ્સ, શુગર, લિગ્નિન, સેપોનિન્સ, સેલિસિલિક એસિડ્સ અને એમિનો એસિડથી સમૃદ્ધ છે. વિટામિન A (બીટા-કેરોટીન), C, અને E, B12, ફોલિક એસિડ અને કોલિન સાથે એન્ટીઑકિસડન્ટ તરીકે સેવા આપે છે. વળી,એલોવેરામાં કેલ્શિયમ, ક્રોમિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક પણ ભરપૂર માત્રા હોય છે.
થોડી સાવચેતી
ડૉ. નામ્બિયાર ચેતવણી આપે છે કે, “જો તમને લિલિયાસી પરિવારના છોડની એલર્જી હોય,જેમ કે લસણ, ડુંગળી અથવા ટ્યૂલિપ્સ,તો શક્યતા છે કે તમને એલોવેરાથી પણ એલર્જી થઈ શકે.” આવા કિસ્સાઓમાં, એલોવેરાના કોઇ પણ પ્રકારના ઉપયોગને ટાળવાની સલાહ આપવામાં આવે છે. વધુમાં, નિષ્ણાતો ગર્ભાવસ્થા દરમિયાન અને સ્તનપાન દરમિયાન એલોવેરાનો ઉપયોગ ન કરવાની ભલામણ કરે છે.
ચેતવણી : જો કે લોકો સામાન્ય રીતે ઘરઘથ્થુ ઉપચારોને સલામત માને છે, જો તમારા લક્ષણો દેખાય કે એલર્જી દેખાય તો તમારે સૌથી પહેલાં તમારા તબીબની સલાહ લેવાનું વિચારો.