ફળ સૌથી વધુ પૌષ્ટીક ભોજન છે છતાં ઘણા લોકો પુછતાં હોય છે કે ફળ ખાવાનો સૌથી સારો સમય શું છે ? શું મારો કોઇ ખાસ ફળ ખાવું જોઇએ ? મારે ફળોના કયા કોમ્બિનેશનથી દૂર રહેવું જોઇે અને ફળના કયા કૉમ્બિનેશન સૌથી સારા છે ?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વયસ્કોને દરરોજ 400 ગ્રામથી વધારે ફળ અને શાક ખાવાની સલાહ આપે છે (એટલે કે એક સર્વિંગમાં 80 ગ્રામના હોય તો તેવા 5 ભાગ) પણ ફળોનો વધારેમાં વધારે લાભ શરીરને મળે તે માટે તેને સાચા સમયે ખઆવું જરુરી છે.
આર્યુવેદના જાણકારો ફળો ખાવાનો સાચો સમય પણ જણાવે છે. મુંબઇના ઘાટકોપરના આર્યુવેદિક અને પંચકર્મ ક્લિનિકના સ્થાપક ડૉ. પૂજા શેટ્ટી જણાવે છે કે ફળ જે રુતુમાં મળતા હોય તેમાં એકદમ પાકેલા હોય તેને સ્વાસ્થ્ય માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે.
તેઓ વધુમાં જણાવે છે કે,”ફળ બીજા ખોરાકની સરખામણણીમાં પચવામાં થોડા ભારે હોય છે સાથે જ પૌષ્ટિક પણ હોય છે. ખાસ પરિસ્થિતિ અને શરીરના પ્રકાર અનુસાર ડાયેટમાં ઉમેરી શકાય છે.”
ફળ અને શરીરના પ્રકાર
બેંગ્લોરના આર્યુવેદિક નિષ્ણાંત ડૉ.લિખિત રાજૂ જણાવે છે કે, આર્યુવેદિક નિષ્ણાંતો જણાવે છે કે આપણું શરીર વાત(વાયુ તત્વ), પિત્ત(અગ્નિ તત્વ) અને કફ (જળ તત્વ)માં વર્ગીકૃત કરવામાં આવે છે. આર્યુવેદિક પદ્ધતિઓમાં ફળ શરીરના પ્રકાર અનુસાર ખાવા જોઇએ. સાથે જ તે વ્યક્તિની પાચનક્ષમતા એટલે કે અગ્નિતત્વ પર આધાર રાખે છે.
ડૉ. રાજૂ વધુમાં જણાવે છે કે પિત્ત પ્રકૃતિના લોકો કેળા ખાઇ શકે છે. જ્યારે શરદી અને શ્વસન સંબંધિત સમસ્યા ધરાવતા લોકોએ કેળા ખાતી વખતે સાવધાન રહેવું જોઇએ. તેઓ ચેતવણી પણ આપે છે કે, સોશિયલ મીડિયા પર જોઇને લોકોએ આંખો વીંચીને કેટલાક પગલાં લે છે જેના કારણે તેઓ લાંબો સમય સુધી હેરાન થાય છે.
આ સાથે સહમતિ દર્શાવતા ડૉ. શેટ્ટી જણાવે છે કે વ્યક્તિ પોતાના દુબળા પાતળા શરીરને ધ્યાનમાં રાખીને મીઠા ફળની પસંદગી કરવી જોઇએ. પિત્ત પ્રકૃતિ હોય તે લોકોએ આલ્મીય ફળ ન ખાવા જોઇએ તેનાથી તેમનું શરીર સુજી જશે. કફ પ્રકૃતિના લોકોએ સંતરા અને મોસંબી જેવા ફળ ખાવા જોઇએ. તેઓએ કેળા, ચીકુ જેવા ફળોથી દૂર રહેવું જોઇએ.
ફળ ખાવાનો સારો સમય શું છે
ડૉ રાજૂ જણાવે છે કે ભોજનના બે ક્લાક બાદ ફળ ખાવા જોઇએ. ત્યારે આપણે ખાધેલો ખોરાક આંશિક રીતે પચી ગયો હોય છે. યોગ્ય પાચન વખત તેના પોષક તત્વોનું શોષણ યોગ્ય રીતે થતું નથી. સાથે જ સૂતા પહેલા ક્યારે પણ ફળ ન ખાઓ. સુવાના ઓછામાં ઓછા 3 ક્લાક પહેલાં ફળ ખાવું જોઇએ.
ડૉ શેટ્ટી બપોરના નાસ્તામાં ફળ ખાવાની સલાહ આપે છે ( અંદાજે સવારે 11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી) કેમકે આ સમય ગાળો સવારે ભૂખ્યા પેટનો અને સાંજના સમય કરતાં પાચન માટે વધુ સારો હોય છે. ફળની ઠંડી તાસીરના કારણે તેને સવારે ભૂખ્યા પેટે ન ખાવું જોઇએ.
પાચન નબળું હોય તે લોકો માટે કાચા ફળ સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. આ અંગે ડૉ શેટ્ટી જણાવે છે કે એક ચપટી ત્રિકટુ પાઉડર ( કાળા મરી, પીપરીમૂળ અને સૂંઠનો સરખી માત્રામાં પાઉડર) સંતરા અથવા ખાટા ફળો સાથે લેવો જોઇએ તે પાચનમાં મદદ કરશે.
જાણકારોનું માનવું છે કે ભોજન પછી તરત જ ફળ ન ખાવા જોઇએ. તેનાથી શુગર લેવલ વધી શકે છે જે ડાયાબિટીસ ધરાવતા વ્યક્તિઓ માટે હાનિકારક છે.
કેટલી માત્રામાં ફળ ખાવા જોઇએ
આર્યુવેદ વ્યક્તિ વિશેષ છે આથી તેની કોઇ માત્રા નિર્ધારિત નથી. ડૉ. શેટ્ટી જણાવે છે કે જો કોઇ વ્યક્તિ ફળ ખાતા ખાતા સંતૃષ્ટી અનુભવે એટલે પેટ ભરેલું લાગે તો અટકી જવું જોઇએ.
ફળોને મિક્સ ન કરો
ફળોને દૂધ અને બદામ સાથે મિશ્રિત કરવાનું ટાળો. “ફળો, દૂધ અને બદામનું આખું મિશ્રણ ઉચ્ચ ઉર્જાનો સ્ત્રોત છે અને તે શરીરને પચવા માટે ખૂબ ભારે બની જાય છે,” ડૉ. શેટ્ટી કહે છે.
નિષ્ણાતો એક સમયે માત્ર એક જ પ્રકારનું ફળ ખાવાની સલાહ આપે છે. ડૉ.શેટ્ટી કહે છે કે, એકસાથે અનેક પ્રકારના ફળોનું સેવન કરવું યોગ્ય નથી. સામાન્ય રીતે એક સમયે એક ફળ ખાવાની સલાહ આપે છે વધારેમાં વધારે બે ફળ ભેગા કરવાની સલાહ આપે છે. ફ્રુટ સલાડ બનાવવાનું ટાળો કારણ કે અલગ-અલગ ફળોના પાચનનો સમય અલગ-અલગ હોય છે.
તેઓ કહે છે કે અનાનસ અને સફરજનને ભેગા કરવા અથવા અન્ય ફળો સાથે અનાનસ ભેગા કરવાની સલાહ આપતા નથી, ખાસ કરીને જો નબળા અથવા ધીમા પાચનની સ્થિતિમાં હોય તેમને નુકસાન કરે છે.
મહત્તમ ફાયદા માટે મોસમી ફળો ખાઓ
સારા સ્વાસ્થ્ય માટે સ્થાનિક, મોસમી ફળો પસંદ કરો. ફળોની ઉપલબ્ધતા ઋતુઓ અને સ્થાનો પ્રમાણે બદલાય છે. ડો. શેટ્ટી કહે છે, “સિઝનમાં હોય તેવા ફળો પસંદ કરો, કારણ કે તે તમારા શરીરની જરૂરિયાતો માટે વધુ યોગ્ય છે અને સારી પાચનક્રિયાને પ્રોત્સાહન આપે છે.” શિયાળામાં તમારા આહારમાં દાડમ અને જામફળનો સમાવેશ કરો.
કેટલીક સાવધાનીઓ
સામાન્ય રીતે તાવ આવ્યો હોય ત્યારે ફળ ન ખાવા જોઇએ કારણ કે તે પચવામાં મુશ્કેલ હોય છે. જો કે દાડમ ખાઇ શકાય છે, જે કાર્ડિયો પ્રોટેક્ટિવ છે અને સરળતાથી પચી જાય છે.
વધુમાં, ખાંસી, લાળની રચના અથવા શ્વસન સમસ્યાઓ હોય તેવી પરિસ્થિતિઓમાં ફળ ન ખાવું જોઈએ. ડૉ. શેટ્ટી ચેતવણી આપે છે, “એસિડ રિફ્લક્સ ધરાવતા લોકો માટે, અનેનાસ અને સ્ટ્રોબેરી જેવા ખાટાં ફળો, તે સ્થિતિ વધારે ખરાબ બનાવે છે અને બળતરા પેદા કરી શકે છે”
નિષ્ણાતો કહે છે કે જો તમે ફળ અને દૂધને મિક્સ કરવું હોય તો તમારે દૂધમાં કેરી મિક્સ કરવી જોઈએ, બીજા ફળ નહીં.