728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

ઉનાળામાં આ 5 એન્ટી-ઑક્સિડન્ટ ખોરાક તમને રાખશે સ્વસ્થ
9

ઉનાળામાં આ 5 એન્ટી-ઑક્સિડન્ટ ખોરાક તમને રાખશે સ્વસ્થ

ઉનાળામાં બળબળતા તાપમાં ઓક્સિડેટીવ સ્ટ્રેસ વધે છે, બીમારીઓનું જોખમ પણ વધે છે. આથી નિષ્ણાતો કેટલાક એન્ટીઑકિસડન્ટ ભરપૂર ખોરાક સૂચવે છે

ઉનાળાના આગમન સાથે,વેકેશનના પ્લાન્સના કારણે સૌ કોઇ જોશમાં હોય છે. લોકો દરિયાકિનારે મોજ-મસ્તી કરતા હોય છે. બીજી તરફ, બળબળતો તાપ, વધતું પ્રદૂષણ અને હાર્ષ અલ્ટ્રાવાયોલેટ કિરણો ઑક્સિડેટીવ સ્ટ્રેસ વધારવા માટે પૂરતા છે. જે શરીરમાં મુક્ત થતા હાનિકારક રેડિકલ કણોના ઉત્પાદન અને એન્ટીઑક્સિડન્ટ તત્વો કે જે તેનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે તેની વચ્ચે અસંતુલન ઉત્પન્ન કરે છે. તેથી, ઑક્સિડેટીવ સ્ટ્રેસનો સામનો કરવા માટે વ્યક્તિના આહારમાં એન્ટીઑકિસડન્ટ પૂરતા પ્રમાણમાં હોય તે ધ્યાન રાખવું જરૂરી છે.

ઑક્સિડેશન એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણું શરીર શ્વાસમાં લેવાયેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જે ફ્રી રેડિકલ ઉત્પન્ન કરે છે – એવા પદાર્થો કે જે વ્યક્તિને કેટલીક હેલ્થ કંડિશન જેમ કે કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓ, અકાળ વૃદ્ધત્વ અને કેન્સર માટે સંવેદનશીલ બનાવી શકે છે. એન્ટીઑકિસડન્ટ્સ આ મુક્ત રેડિકલનો નાશ કરે છે, તેને નિષ્ક્રિય કરે છે. સાથે જ ત્વચા અને વાળના સ્વાસ્થ્યને વધુ સારું બનાવે છે, વૃદ્ધત્વને ધીમું કરે છે અને બીમારીઓને દૂર રાખે છે.

ઉનાળા માટે એન્ટીઑકિસડન્ટ સમૃદ્ધ ખોરાક

 ગાર્ડ વેજિટેબલ્સ

ગાર્ડ ફેમેલિના શાકભાજી વિટામિન્સ, કેલ્શિયમ અને ફાઈબર જેવા આવશ્યક પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. ગોવાના ન્યૂટ્રીશ્યનિસ્ટ અને વેલનેસ કંસલટન્ટ શીલા ક્રિશ્ના સ્વામી જણાવે છે કે, “કાકડી, દૂધી, ટીંડોળા, તુરીયા, કોળા જેવા શાકભાજી ઉનાળામાં ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે.” આ શાકભાજીમાં હાજર એન્ટીઑકિસડન્ટો કોલેજનના ઉત્પાદનમાં વધારો કરે છે અને અન્ય ફાયદાઓ સાથે જ ઑક્સિડેટીવ ડેમેજ ઘટાડે છે.

કૃષ્ણસ્વામી વધુમાં જણાવે છે કે, “આ શાકભાજીને અન્ય બારમાસ ખવાતા શાકભાજી જેમ કે ટામેટાં,ગાજર,કોબીજ અને કઠોળ સાથે લેવા જોઈએ, કારણ કે શરીરને વિવિધ પ્રકારના છોડ આધારિત ખોરાકની પણ જરૂર હોય છે.”

મેલન્સ

મેલન્સ, જેમાં શક્કર ટેટી, તરબૂચ, કેન્ટાલૂપ વગેરેનો સમાવેશ થાય છે. તેનાથી થયા અઢળક ફાયદાઓના કારણે તેને કુદરતની બક્ષિસ કહેવામાં આવે છે. આ રસદાર ફળ સારામાં સારા કૂલર્સ ગણાય છે અને તેમાં લાઈકોપીન, કેરોટીનોઈડ્સ અને વિટામીન સી જેવા એન્ટીઓક્સીડેન્ટ વધારે હોય છે. જે તેમને ઉનાળામાં ખૂબ જ આવશ્યક છે.

કૃષ્ણસ્વામી મોસમી ફળો આરોગવા પર ભાર મૂકે છે કારણ કે તે અન્ય ફળ કરતાં વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે.તેઓ ઉમેરે છે કે,”તરબૂચ ઉપરાંત,કેળા,પપૈયા, સફરજન અને નારંગી જેવા ફળો પણ એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે,”

 નટ્સ

અખરોટમાં વિટામિન E ભરપૂર માત્રામાં હોય છે.જે પ્રાકૃતિક એન્ટીઑકિસડન્ટ છે. આ ઉપરાંત અખરોટ,પેકન્સ અને ચેસ્ટનટ્સમાં ફ્લેવોનોઈડ્સ, ફિનોલિક એસિડ, લિગ્નાન્સ અને ટેનીન હોય છે.

તેને બાફીને, પલાળીને અથવા શેકીને ખાઈ શકાય છે. વધુમાં, અખરોટના બટરનો ઉપયોગ હેલ્થી નાસ્તાના વિકલ્પો માટે સ્પ્રેડ તરીકે કરી શકાય છે. જો કે,બદામમાં કેલરીની માત્રા વધુ હોવાથી પોર્શન કંટ્રોલની ખાતરી કરવી જરૂરી છે. તેને વધુ પડતું ખાવાથી વજન વધી શકે છે. જો તમને કોઇ એલર્જી છે તો તેને પસંદ કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખવું.

પલ્સિસ

જવ જેવા પલ્સિસ, ગેલિક એસિડ, પોલિફિનોલ્સ અને ફ્લેવોનોઇડ્સ જેવા એન્ટીઑકિસડન્ટ્સથી ભરપૂર છે, જે તેમને ક્રોનિક સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને રોકવા માટે એક આદર્શ વિકલ્પ બનાવે છે. બેંગ્લોરના ડાઇટિશીયન રુતુજા જાષી જણાવે છે કે “જવ એ ચોખાનું સારામાં સારો વિકલ્પ છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે ઈડલી અને ઢોસા બનાવવા માટે થાય છે.” સાથે જ તેનો ઉપયોગ ઢોકળા અને અન્ય નાસ્તા તૈયાર કરવા માટે પણ કરી શકાય છે.

વધુમાં, રાજમાએ એન્ટીઑકિસડન્ટનો સૌથી સસ્તો અને સહેલાઈથી મળી રહે તેવો સ્ત્રોત છે. તેનાથી પેટ ભરાય છે અને ભાત અથવા બ્રેડ સાથે ખાઇ શકાય છે. તમે તેને સૂપ અને બ્યુરીટોમાં પણ ઉમેરી શકો છો.

 મસાલા

સામાન્ય રીતે ખોરાક અને પીણાંના સ્વાદને વધારવા માટે જાણીતા મસાલાના એન્ટીઑકિસડન્ટ ગુણધર્મોએ તાજેતરમાં જ સૌનું ધ્યાન ખેંચ્યું છે. કાળા મરી,લવિંગ,ધાણા અને હળદર કે જે રસોડામાં સરળતાથી જોવા મળે છે. તે ફ્લેવોનોઈડ્સ, ફિનોલિક એસિડ્સ, લિગ્નાન્સ અને આવશ્યક તેલથી ભરપૂર છે. એન્ટીઑકિસડન્ટ સામગ્રીના સંદર્ભમાં,લવિંગ સૂચિમાં ટોચ પર છે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.