728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

બાળકોને કયારે પણ ન ખવડાવો આ 7 વસ્તુઓ
3

બાળકોને કયારે પણ ન ખવડાવો આ 7 વસ્તુઓ

જ્યાં સુધી તમારું બાળક એક વર્ષનું ન થાય ત્યાં સુધી તેને આ ખોરાકથી તેને દૂર રાખો.

Foods to avoid for babies

ગર્ભાવસ્થા અને બાળકના જીવનના પ્રથમ બે વર્ષને સામાન્ય રીતે પહેલાં હજાર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ સમય બાળકના વિકાસનો સૌથી મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફર્મેશન દ્વારા પ્રકાશિત અભ્યાસ અનુસાર, આ સમયગાળા દરમિયાન બાળકના આંતરડાના સૂક્ષ્મ જીવાણુઓમાં નોંધપાત્ર ફેરફારો થાય છે.

આ શરૂઆતના વર્ષોમાં બાળકોના મગજનો ઝડપથી વિકાસ થાય છે. યુનિસેફના રિપોર્ટ અનુસાર, તેમના ન્યુરોન્સ ખૂબ જ ઝડપથી જોડાય છે, જે ફરીથી ક્યારે પણ જોડાતા નથી કે અલગ થતા નથી. માતાપિતા આ પ્રક્રિયામાં મદદ કરવામાં મહત્વનો ફાળો આપી શકે છે.

સારા અને ખરાબ વચ્ચેની મૂંઝવણ

માતાઓ હંમેશા તેમના બાળકોને સારામાં સારી સાચવવાનો પ્રયાસ કરે છે. જો કે, આ વિષય અંગે તેઓ ઉપલબ્ધ માહિતીને ધ્યાનમાં લે કે પછી  સંબંધીઓ અને મિત્રોની સલાહ પર ધ્યાન આપે, આ બંનેમાંથી શ્રેષ્ઠ શું છે તે નક્કી કરવું મુશ્કેલ બની શકે છે. તેથી જ તમારા બાળક માટે શું કામ કરે છે તે શોધવા માટે પ્રોફેશ્નલની સલાહ લેવી એ સૌથી રીત છે.

હેપ્પીએસ્ટ હેલ્થે બાળકો માટે શું સારું છે તે જાણવા માટે લિટલ વંડર્સ ક્લિનિક, હૈદરાબાદના બાળરોગ નિષ્ણાત ડૉ. મેઘના રામરાજુ અને મધ્યપ્રદેશના ભોપાલના બાળ પોષણ નિષ્ણાંત ડૉ. નિશા ઓઝા સાથે વાત કરી. તેમણે આ ખાદ્યપદાર્થોથી બાળકોને દૂર રાખવા માટેની સલાહ આપી.

ખાંડ

જ્યાં સુધી તમારું બાળક બે વર્ષનું ન થાય ત્યાં સુધી તેના ખોરાકમાં ખાંડ ન ઉમેરવી અને જ્યાં સુધી તે નક્કર ખોરાક ખાવાનું શરૂ ન કરે ત્યાં સુધી આ જાળવવું જોઇએ. ખાંડ એક આકર્ષક વિકલ્પ છે, તે આહારમાં કેલરી ઉમેરે છે, વજન વધવાનું જોખમ વધારે છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા અનુસાર, જરૂરી પોષક તત્વોની અછત હોવા છતાં, જરૂરી ઊર્જા પૂરી પાડીને ખાંડનો વપરાશ ખોરાકના પોષણ પર નકારાત્મક અસર કરી શકે છે. આનાથી વજન વધવાની સાથે જ દાંતમાં સડો જેવી સ્થિતિઓનું જોખમ પણ વધે છે.

વધુમાં, ડૉ. ઓઝા દર્શાવે છે કે ખાંડ ખાવાની આદત બાળપણથી સ્થૂળતા, આળસ અને કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓની શરૂઆત સાથે સંકળાયેલું છે. જેની જગ્યાએ ખજૂરનો પાવડર, ફળોની પ્યુરી (કેળા, સફરજન, સ્ટ્રોબેરી), અંજીર પ્યુરી, કિસમિસ પ્યુરી અથવા પાકેલા જરદાળુ પ્યુરીનો ઉપયોગ કરવાનું તેઓ સૂચવે છે.

મીઠું

ડૉ. ઓઝા અને ડૉ. રામરાજુ છ થી બાર મહિનાના બાળકોને મીઠું ન આપવાની ભલામણ કરે છે. સાથે જ પુખ્ત વયના લોકોએ પણ વધુ પડતા મીઠાનું સેવન ટાળવું જોઈએ કારણ કે તે હાઈબ્લડ પ્રેશરનું જોખમ વધારે છે. શિશુઓ માટે તે તેમની વિકાસશીલ કિડની માટે વધુ હાનિકારક હોઈ શકે છે, જે હાઈબ્લડ પ્રેશરનું જોખમ વધારે છે.

મધ

મધ, ખાંડનો કુદરતી સ્ત્રોત હોવા છતાં, નવજાત શિશુઓ માટે નોંધપાત્ર અને સંભવિત જોખમ ઊભું કરી શકે છે. ડૉ. રામરાજુ સમજાવે છે કે તેનાથી ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમથી ઉદ્ભવે છે, જે બોટ્યુલિઝમનું કારણ બની શકે તેવા સૂક્ષ્મજીવાણુ છે, જે આંતરડાની એટ્રેસિયા અને લકવોનું કારણ બને છે. કેટલાક કેસ સ્ટડીઝમાં નવજાત શિશુઓ એક વર્ષનું થાય તે પહેલા મધ આપવાથી કેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છો. જોખમો પર પ્રકાશ પાડે છે.

ગાયનું દૂધ

શિશુનું પાચનતંત્ર ખૂબ નાજુક હોય છે અને તે માત્ર માતાના દૂધને પચાવવા માટે સક્ષમ હોય છે. હકીકતમાં, NCBI પર પ્રકાશિત થયેલા એક રિસર્ચ અનુસાર, માનવ દૂધની રચના અન્ય સસ્તન પ્રાણીઓ કરતાં અલગ છે. માનવ દૂધમાં લિપિડ્સ, મિનરલ્સ, વિટામિન્સ અને ફેટી એસિડ્સ જેવા મહત્વપૂર્ણ તત્વો હોય છે જે નવજાત બાળક માટે જરૂરી છે. આથી, વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ બાળકોને માતાના દૂધ આપવા પર ભાર મુક્યો છે.

કેટલાક રિસર્ચમાં સામે આવ્યું છે કે 6 થી 11 મહિનાના બાળકોને ગાયનું દૂધ આપવાથી તેમનામાં એનિમિયાનું જોખમ વધી શકે છે. એવા કેટલાક પુરાવા પણ છે કે નવજાત શીશુમાં ગાયના દૂધ અથવા તેમના આધારિત ફોર્મ્યુલાના ઉપયોગથી ગાયના દૂધ દ્વારા પ્રોટીન એલર્જી થવાની સંભાવના વધે છે.  ડૉ. રામરાજુ ભલે બાળકોને ઠોસ ખોરાક આપો પણ તેની સાથે સ્તનપાન ચાલુ રાખવું જોઇએ.

સૂકામેવા અને સીડ્સ

સૂકા મેવા અને સીડ્સ જો ગળામાં અટવાઇ જાય તો શ્વાસનળીમાં અવરોધ ઉતપન્ન થાય છે અને ઑક્સિજનનો પુરવઠો અચાનક બંધ થઈ જાય છે ત્યારે ગૂંગળામણ થાય છે. ડૉ. રામરાજુના જણાવ્યા મુજબ, તમારા બાળક સૂકામેવા કે સીડ્સ ખવડાવતી વખતે આંગળીઓ વચ્ચે દબાય તેવા કોઈ પણ ખોરાક ન આપવા કેમકે તે ગળામણનો ખતરો વધારે છે.

ઇંડા

ઇંડા નવજાત બાળકોમાં એલર્જી ઉત્પન્ન કરી શકે છે, ખાસ કરીને જો તેમના માતાપિતાને એલર્જી હોય તો. નિષ્ણાતો એલર્જી ન થાય તે માટે અસરકારક વ્યૂહરચના સૂચવે છે. ડૉ. રામરાજુ સલાહ આપે છે કે જ્યારે તમારું બાળક એક વર્ષનું થાય, ત્યારે તમે તેને ઈંડાની જરદી ખવડાવી શકો. તે સારી રીતે તેને પચાવી શકે છે કે કેમ તે જોવા માટે. આ જ સાવચેતીઓ સીફૂડ પર લાગુ પડે છે. ડૉ. રામરાજુ કહે છે, “ જરૂરી છે કે આવા ખોરાકનો ધીમે-ધીમે પરિચય કરાવવામાં આવે અને કોઈપણ એલર્જીનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવામાં આવે  જો કોઈ સ્પષ્ટ એલર્જી જોવા મળતી નથી, તો તમે તેને તમારા બાળકને આ ખાદ્યપદાર્થો આપી શકો છો.

પેકેજ્ડ ખોરાક

ફૂડ એડિટિવ્સ પેકેજ્ડ ઉત્પાદનોની શેલ્ફ લાઇફ વધારવા, સ્વાદ સુધારવા અને ફ્રેશનેસ જાળવી રાખવા માટે ઉમેરવામાં આવે છે. આ રસાયણો હાનિકારક હોવાથી, તમારા બાળકને તૈયાર ખોરાક ન આપો. એવી સંભાવના છે કે તે તમારા બાળકના શારીરિક વિકાસને અવરોધે કારણ કે તેઓ પુખ્ત વયના લોકો કરતા અડેટિવ્સની નકારાત્મક અસર પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. ડૉ. ઓઝાએ ફ્લેવર્ડ મિલ્ક અને દહીં, પેકેજ્ડ ચિપ્સ અને ફ્રેંચ ફ્રાઈસ અને ખાવા માટે તૈયાર હોય તેવા ભોજન (બાળકના દૈનિક સેવન કરતાં મીઠાની માત્રા વધુ હોય તેવા) ખોરાકથી દૂર રાખવાની ભલામણ કરે છે. તેઓ કહે છે કે તમામ માતા-પિતાએ બાળકોને ઘરે રાંધેલું ભોજન આપવાની આદત પાડવી જોઇએ.

 

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.