728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

કેવી રીતે પસંદ કરશો તમારા માટે સનસ્ક્રીમ લોશન ?
25

કેવી રીતે પસંદ કરશો તમારા માટે સનસ્ક્રીમ લોશન ?

ફિઝીકલ અને કેમિકલ સનસ્ક્રીમ લોશન બંનેના પોતાના ફાયદા અને નુકસાન બંને છે. નિષ્ણાંતો પાસેથી જાણીએ તેનો તફાવત

 

સનસ્ક્રીન લગાવવુંએ વ્યક્તિની સ્કિનકેર રુટીનમાં જરૂરી એલીમેન્ટ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ભલામણ કરે છે કે લોકોએ બ્રોડ-સ્પેક્ટ્રમ એટલે કે હાયર એસપીએફ વાળું સનસ્ક્રીન લગાવવું જોઇએ એટલે કે SPF 15+ છે. જો સતત તડકામાં રહેવાનું હોય તો દર બે કલાકે ફરીથી સનસ્ક્રીમ લોશન લગાવવું જોઈએ.

પુડ્ડુચેરીના ડૉ જુડસ હેર ટ્રાન્સપ્લાન્ટ એન્ડ સ્કિન ક્લિનિકના કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ ડૉ. જુડ દિલીપ કહે છે, “સનસ્ક્રીન ટેનિંગ, ફોટો એજિંગ (ત્વચાની શિથિલતા, કરચલીઓ), ડલ કલર, અનઇવન સ્કીન ટોન અને ત્વચાના કેન્સર ને અટકાવે છે. તે ખીલ (પિમ્પલ્સ), રોસેસીઆ અને ફોટોએલર્જી જેવી ફોટોસેન્સિટિવ ત્વચા ધરાવતા લોકો માટે પણ સારવારનો પણ એક મહત્વપૂર્ણ ભાગ બને છે.

જો કે, બજારમાં વિવિધ પ્રકારના સનસ્ક્રીન ઉપલબ્ધ છે અને ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી પણ છે ત્યારે સવાલ ઊભો એ થાય છે: કયું સનસ્ક્રીમ લેશન પસંદ કરવું જોઈએ?

નિષ્ણાતોએ હેપ્પીએસ્ટ હેલ્થ સાથે વિવિધ પ્રકારના સનસ્ક્રીન લોશન અંગેની માહિતી શેર કરી છે…

ફિઝીકલ સનસ્ક્રીમ

બેંગલુરુના કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ ડૉ. શોબા સુદીપ કહે છે કે, ફિઝિકલ સનસ્ક્રીન, જેને મિનરલ/ઇનઓર્ગેનિક સનસ્ક્રીન લોશન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ત્વચા અને હાનિકારક યુવી કિરણો વચ્ચે ઢાલ તરીકે કામ કરે છે અને કિરણોને ત્વચાને નુકસાન કરતા રોકે છે.

ફિઝીકલ સનસ્કીમ લોશનનાના મુખ્ય અને સામાન્ય ઇન્ગ્રિડિયન્ડ છે.

  • ઝીંક ઓક્સાઇડ
  • ટાઇટેનિયમ ડાયોક્સાઇડ

આ ઇન્ગ્રિડિયન્ડ કુદરતી રીતે બનતા હોય છે અને તેથી રાસાયણિક ઇન્ગ્રિડિયન્ડ કરતાં વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

 ફિઝીકલ સનસ્ક્રીમ લોશનના  ફાયદા

ઝિંક ઓક્સાઇડ એન્ટી ઇન્ફ્લેમેટ્રી એટરી કે બળતરા વિરોધી લાભ આપે છે, તેથી ખીલ અથવા એકને પર સાથે જ સેન્સેટીવ ત્વચા પર તેનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત છે.
તે તમામ પ્રકારની ત્વચાને અનુરૂપ છે અને બાળકો, સગર્ભા સ્ત્રીઓ સાથે જ રોસેસીઆ અને મેલાસ્મા ધરાવતા લોકો માટે રેકમેન્ડ કરવામાં આવે છે.
તેઓ હાનિકારક કિરણોને પરાવર્તિત કરે છે ઉપરાંત, તેઓ તરત જ ઇફેક્ટિવ રીતે કામ કરે છે અને જો કોઈને ઝડપી તડકાથી રક્ષણની જરૂર હોય તો તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે.સાથે જ તે ફોટો સ્ટેબલ પણ છે

ફિઝીકલ સનસ્ક્રીમ લોશનના ગેરફાયદા

તે સામાન્ય રીતે જે થીક એટલે કે ઘટ્ટ સ્વરૂપમાં હોય છે આથી તેને લગાવવું થોડું મુશ્કેલ હોય છે. તેના કારણે ક્યારેક ક્યારેક સફેદ ડાઘા પણ જોવા મળે છે જેથી કોસ્મેટિકલી લોકો તેને ઓછું પસંદ કરે છે. કેમિકલ સનસ્ક્રીન લોશનની તુલનામાં તેઓ ઘણીવાર ત્વચા પર ભારે લાગે છે.

ફિઝીકલ સનસ્ક્રીમ લોશન વૉટર રઝીસસ્ટન્સ નથી તેથી તે પાણીમાં ઓછી સુરક્ષા આપી શકે છે.
દિલીપ કહે છે, “નવા ફિઝીકલ સનસ્ક્રીમ લોશનમાં નેનોપાર્ટિકલ્સ હોય છે જે સફેદ કાસ્ટ છોડતા નથી અને કોસ્મેટિકલી સ્વીકાર્ય છે.” જો કે, ત્વચામાં આ નેનોપાર્ટિકલ્સના ત્વચામાં પ્રવેશવા અને શોષવા અંગે ચિંતાઓ છે. જેમ કે, કેટલાક ડર્મેટોલોજીસ્ટ સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓને નેનોપાર્ટિકલ ફિઝિકલ સનસ્ક્રીનની સલાહ નથી આપતા.

કેમિકલ સનસ્ક્રીમ લોશન

રાસાયણિક અથવા ઓર્ગેનિક સનસ્ક્રીન લોશનમાં ફિલ્ટર નામના પરમાણુઓ હોય છે જે અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણોત્સર્ગને શોષી અને નિષ્ક્રિય કરે છે. જેમ કે, કેટલાક સનસ્ક્રીનમાં UVA અથવા UVB માટે ફિલ્ટર્સ હોય છે અને કેટલાક ફિલ્ટર આ બંને તરંગલંબાઇને નિષ્ક્રિય કરે છે, દિલીપ કહે છે કે, “30 થી વધુના SPFની સલાહ આપવામાં આવે છે.”

કેમિકલ સનસ્ક્રીન લોશનના મુખ્ય અને સામાન્ય ઇન્ગ્રીડિયન્ટ છે

  • ઓક્સિબેનઝોન (UVA filter)
  • એવોબેનઝોન (UVA filter)
  • ઓક્ટિસલેટ (UVB filter)
  • ઓક્ટોક્રિલીન (UVB filter)
  • હોમોસેલેટ (UVB filter)
  • ઓક્ટીનોક્સેટ (UVB filter)

દિલીપ કહે છે કે “બજારમાં સામાન્ય રીતે ઉપલબ્ધ સનસ્ક્રીનમાં એક અથવા વધુ કેમિકલ/ઓર્ગેનિક ઇન્ગ્રિડિયન્ડ હોય છે.”

કેમિકલ સનસ્ક્રીમના ફાયદા

દિલીપ જણાવે છે કે કેમિકલ સનસ્ક્રીમ ઇઝીલી લગાવી શકાય છે, વૉટર રઝીસટન્સ છે અને ફિઝીકલ સનસ્ક્રીન કરતાં લાંબો સમય સુધી સુરક્ષિત રાખે છે. કોસ્મેટિકલી વધુ આકર્ષક છે અને કોઇ પણ સફેદ કાસ્ટ છોડતા નથી.

કેમિકલ સનસ્ક્રીમના ગેરફાયદા

જેમની ત્વચા સેન્સિટીવ હોય એટલે કે સંવેદનશીલ હોય અને એલર્જી થવાની સંભાવના હોય તેમના માટે સામાન્ય રીતે કેમિકલ સનસ્ક્રીનની ભલામણ કરવામાં આવતી નથી કેમકે સનસ્ક્રીનની પણ એલર્જી જોવા મળે છે. આ ક્રીમનો ઉપયોગ બાળકોએ ન કરવો જોઇએ
તે સેન્સેટીવ સ્કીન ધરાવતા લોકોમાં ત્વચા પર રિએક્શન ઉત્પન્ન કરી શકે છે અને મેલાસ્મા અને રોસેસીઆને પણ અસર કરી શકે છે.
દિલીપ જણાવે છે કે, ઘણા ડર્મેટોલોજીસ્ટ ગર્ભાવસ્થા દરમિયાન અને સ્તનપાન દરમિયાન કેમિકલ સનસ્ક્રીનનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે, પરંતુ આ અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા નથી.

દિલીપ વધુમાં જણાવે છે કે,”કેમિકલ સનસ્ક્રીન ફોટોએલર્જીનું કારણ બની શકે છે, જે વ્યક્તિ સનસ્ક્રીન લગાવે છે અને પછી તડકામાં જાય છે તેમનામાંથી કેટલાકમાં પાછળથી ખંજવાળ, બળતરા, લાલાશ અથવા ફોડલીઓ જોવા મળી શકે છે, પરંતુ તે બહુ સામાન્ય નથી <1% લોકોમાં એલર્જી જોવા મળે છે.”

યાદ રાખવા જેવા મુદ્દા

  • દિલીપના મતે મુખ્ય બંને ક્રીમમાં તફાવત એ છે કે તેઓ યુવી લાઇટ સામે કેવી પ્રતિક્રિયા આપે છે. કેમિકલ સન્સક્રિમના ફિલ્ટર યુવી પ્રકાશને શોષી લે છે અને ન્યુટ્રલાઇઝ કરે છે જ્યારે ફિઝીકલ સનસ્ક્રીન તેમને પરાવર્તિત કરે છે.
  • સુદીપના મતે ફિઝીકલ અને કેમિકલ બંને પ્રકારના સનસ્ક્રીનના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે. જો કે, મોટાભાગે ફિઝીકલ સનસ્ક્રીન પસંદ કરવામાં આવે છે કારણ કે તે તમામ પ્રકારની ત્વચા માટે ઉપયોગમાં લઇ શકાય છે અને તે તડકા સામે સારી સુરક્ષા આપે છે અને લોહીના મિક્સ થતું નથી.
  • કૉસ્મેટિકલી, કેમિકલ સનસ્ક્રીન વધુ સારું છે કારણ કે તેને લગાવવું કરવામાં સરળ છે અને તે તડકાથી લાંબા સમય સુધી રક્ષણ પૂરું પાડે છે.
  • જો કે, સન્સક્રીમની પસંદગી વ્યક્તિએ વ્યક્તિએ બદલાય છે આથી એવી સલાહ આપવામાં આવે છે કે જો વ્યક્તિને ત્વચા સંબંધિત સમસ્યા હોય તો કોઈપણ સનસ્ક્રીન પસંદ કરતા પહેલા ડર્મેટોલોજીસ્ટનો સંપર્ક કરવો શ્રેષ્ઠ છે.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.