મહિલાઓની યોનીમાંથી થતો ડિસ્ચાર્જ એક ખૂબ જ સામાન્ય અને મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. જેનાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. એક ક્રીમી એસિડિક પદાર્થ હોય છે જે મહિલાઓની યોનીમાં મોઇશ્ચર જાળવી રાખે છે. સાથે જ તે સમયાંતરે યોનીની સફાઇ પણ કરે છે, જેના કારણે મહિલાઓ યોનીના ઇન્ફેક્શનથી બચે છે. સામાન્ય રીતે મહિલાઓ યોનીમાંથી થતા સ્ત્રાવ જેવા વિષય પર વાત કરવામાં સંકોચ અનુભવે છે પણ પોતાના સ્વાસ્થ્ય માટે પ્રજનન અંગોની સફાઇ અંગે મહિલાઓએ જાગૃત રહેવું જોઇએ. જો યોનીમાંથી થતા સ્ત્રાવ અંગે વાત કરીએ તો તેના ઘણા રંગો હોઇ શકે છે જે મહિલાઓની સ્વાસ્થ્ય સમસ્યાઓ અંગેનો એક સંકેત પણ હોય શકે છે.
હૈદરાબાદની રેઇનબો ચિલ્ડ્રન હૉસ્પિટલ એન્ડ બર્થ રાઇટ હૉસ્પિટલના સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિજ્ઞાની ડૉ. ટી રાજેશ્વરી રેડ્ડી જણાવે છે કે સામાન્ય વજાઇલ ડિસ્ચાર્જ પાણીની જેમ ટ્રાન્સપરન્ટ, સ્લાઇમ જેવું દુર્ગંધ વગરનું હોય છે અને તેનાથી ખંજવાળ નથી આવતી. જેનાથી આપણને ખ્યાલ આવે છે કે આપણું બાયો ફ્લોરા યોગ્ય છે અને વજાઇના એટલે યોની સ્વસ્થ છે. વજાઇનલ એપિથેલિયમ અને ફ્લોરા મહિલાઓમાં ઇન્ફેક્શનનું પ્રમાણ ઘટાડે છે. મહિલાઓમાં જાહેર શૌચાલયના ઉપયોગ, વધારે ટ્રાવેલિંગ અને પરસેવા વાળા કપડાં લાંબા સમય સુધી પહેરવાથી ઘણા ઇન્ફેક્શન થઇ શકે છે.
આજ વિષય પર પ્રયાગરાજની નૈની હૉસ્પિટલની ડૉ. સ્વાતિ સિંહ કે જેઓ સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિજ્ઞાની જણાવે છે કે જેવી રીતે આપણી આંખમાં પણ ભેજનું મહત્વ છે તેવી જ રીતે વજાઇનલ ડિસ્ચાર્જનું પણ મહત્વ છે. માસિકના 12 થી 14 દિવસમાં જ યોનીમાંથી સફેદ રંગનું ડિસ્ચાર્જ થાય છે જેમાંથી કોઇ પણ પ્રકારની વાસ નથી આવતી તે હેલ્થી સ્ત્રાવ છે.
મહિલાઓની યોનિમાંથી આ સ્ત્રાવ શા માટે છે જરૂરી ?
આ સ્ત્રાવ મહિલાઓની યોનિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે સામાન્ય રીતે તે સફેદ રંગનો હોય છે. જે યોની અંદરની સ્વચ્છતા અને સ્વસ્થ યોનિ માટે માઇક્રોફ્લોરા જાળવવામાં મદદરુપ થાય છે. આ પ્રક્રિયામાં યોનીમાંથી દરરોજ સ્ત્રાવ થઇ શકે છે અને આ મહિલાઓના યોનીના સ્વાસ્થ્ય અંગેનું એક વિશેષ પરિબળ છે. યોનિમાંથી સામાન્ય સ્ત્રાવ થવો તે નોર્મલ છે પણ માસિક દરમ્યાન થતા સ્ત્રાવ અને તેની ગંધમાં અંતર હોય છે.
વજાઇનલ ડિસ્ચાર્જનું કારણ
યોનીમાંથી થતા સ્ત્રાવના ઘણા કારણો હોઇ શકે છે જેમકે યોનીના સ્વાસ્થ્ય સંબંધિત બદલાવ જેમ કે ઇન્ફેક્શન, હોર્મોનલ પરિવર્તન જેમકે ગર્ભાવસ્થા, ઓવ્યુલેશન વગેરે, સ્વચ્છતાનો અભાવ અથવા યોનિ સંબંધિત અન્ય કોઇ સમસ્યા જેમ કે યોનીમાં ફ્લોરાનું અસંતુલન, ઇન્ફેક્શન જેમકે બેક્ટેરિયલ વેજિનોસિસ અથવા યીસ્ટ ઇન્ફેક્શન વગેરે, યોનીમાં ઉત્તેજના, મેનોપૉઝ અને કેટલીક દવાઓ ( એન્ટીબાયૉટિક્સ અથવા સ્ટેરોઇડ) ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ.
ડૉ. સ્વાતિ જણાવે છે,”વજાઇનલ ડિસ્ચાર્જ ઘણા પ્રકારના હોય છે, જેમાં ઓવ્યૂવેશન અથવા પીરિયડ્ સાઇકલના 14 દિવસની આસપાસ આપને સ્ત્રાવ થઇ શકે છે. આ ચિકણોસ્ત્રોવ હશે જે નોર્મલ ગણાય છે. જો તમને થતો ડિસ્ચાર્જ ખૂજ જ ઘાટો, દુર્ગંધ વાળો અથવા ખંજવાળ આવે તો આ સ્ત્રાવ નોર્મલ નથી
યોનીનો સ્ત્રોવ ખૂબ જ વધારે હોય અથવા સામાન્ય ન હોય તો તે સંકેત છે કે શરીરમાં કોઇ સમસ્યા છે. એવામાં તમારે સ્ત્રાવના રંગ, ગંધ અને માત્રા પર ધ્યાન દેવાની જરૂર છે.
વજાઇનલ ડિસ્ચાર્જના લક્ષણ
ડૉ. રાજેશ્વરી રેડ્ડી જણાવે છે કે,“જો યોનીમાંથી થતો સ્ત્રાવ સફેદમાંથી રંગ બદલીને પીળો, આછો લીલો અથવા કથ્થાઇ થાય, દેખાવમાં પનીર અથવા દહીં જેવો હોય, ખંજવાળ તથા દુર્ગંધ આવે તો આ બધા સંકેત છે કે યોનિમાં ઇન્ફેક્શન હોઇ શકે.”
સામાન્ય સ્ત્રાવમાં કોઇ પણ પ્રકારની વાસ હોતી નથી. આ સ્ત્રાવ સાથે બળતરા કે ખંજવાળ અનુભવાવીએ ઇન્ફેક્શનનું લક્ષણ છે. સામાન્ય રીતે આ સ્ત્રાવનો રંગ ટ્રાન્સપરન્ટ અથવા સફેદ હોય છે જ્યારે અસામાન્ય સ્ત્રાવનો રંગ લાલ કે કથ્થાઇ, પીળો અથવા લીલો હોઇ શકે છે. મહિલાઓએ પોતાને થતા સ્ત્રાવ પર ધ્યાન આપવું જોઇએ કે વધારે પણ ન હોવો જોઇએ અને થીક પણ ન હોવો જોઇએ.
યોનીની સ્વાસ્થ્ય માટે તેનું ધ્યાન રાખવું જરુરી છે
મહિલાઓએ ઇન્ફેક્શનથી બચવા માટે પોતાની વજાઇના એટલે કે યોનીની સ્વસ્છતા પર ધ્યાન આપવું જોઇએ. યોનિને નિયમિત રુપે સાફ કરો તેના માટે થોડા સતપ પાણીનો ઉપયોગ કરી શકાય ત્યાર બાદ તેને કોટનના ચોખ્ખા કપડાંથી સારી રીતે સાફ કરો. મહિલાઓએ નિયમિત સમયે ગાઇનોકોલિજીસ્ટ પાસે ચેકઅપ કરાવવું જોઇએ. શરીરમાં કોઇ પણ પ્રકારના પરિવર્તન થાય તો ડૉક્ટર્સની સલાહ લો. એક હેલ્થી લાઇફસ્ટાઇલ ઘણી સમસ્યાથી દૂર રાખવામાં મદદ કરે છે. જેથી નિયમિત રૂપે વ્યાયામ કરો, સંતુલિત આહાર લો અને ધૂમ્રપાન-દારૂથી દૂર રહો…