728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

હર્બલ ઉત્પાદનો વિશે વિચારવા જેવી વાતો
5

હર્બલ ઉત્પાદનો વિશે વિચારવા જેવી વાતો

એ ઉત્પાદનો જે વનસ્પતિના પાન કે મૂળમાંથી મળે છે અને આ પદાર્થો સિન્થેટિક ઉત્પાદનો અને પ્રિઝર્વેટિવ મુક્ત હોય છે.

પ્રાકૃતિક બગીચો આપણા સ્વાસ્થ્ય માટે અનમોલ ખજાનો છે જે હંમેશા માટે શરીર ત્વચા, મગજ માટે એક પ્રાકૃતિક સંસાધનનો સ્ત્રોત બને છે. આથી જ વૈશ્વિક સ્તર પર આ હર્બલ ઉત્પાદનની માંગ વધી રહી છે કારણકે મોટા પ્રમાણમાં લોકો વનસ્પતિની શક્તિનો સ્વીકાર કરીને ઉપયોગ કરવા માટે છે.

હર્બલ ઉત્પાદનો શું છે?

જે ઉત્પાદનો વનસ્પતિ અને તેના અન્ય ભાગમાંતી પ્રાપ્ત થાય છે અને તેમાં કોઇ પણ પ્રકારના રસાયણો અને પ્રિઝર્વેટિવનો ઉપયોગ થતો નથી. હર્બલ ઉત્પાદનોમાં મોટા ભાગો વનસ્પતિ, તેના અર્ક અથવા તેલનો સમાવેશ થાય છે. સાથે જ તેની ઉત્પાદનની સ્થિરતા અને વિતરણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને કાર્બનિક રસાયણોનો ઉપયોગ કરીએ છીએ.

કોચ્ચી સ્થિત સૌંદર્ય પ્રશિક્ષક, ફેબી જોસેફ જણાવે છે કે શુદ્ધ ઓર્ગેનિક અથવા હર્બલ ઉત્પાદનો હોવા એક મિથ્યા છે. તેઓ જણાવે છે કે ટ્યુબ અથવા પેકેટમાં આવતી તમામ વસ્તુઓમાં હંમેશા પ્રિઝર્વેટિવ અથવા અન્ય પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે.

કયા હર્બલ પદાર્થો ખરેખર સુરક્ષિત હોય છે ?

ત્વચા માટે હંમેશા આપણે પ્રાકૃતિક અને રસાયણ હોય તેવા પદાર્થોની પસંદગી કરતી વખતે હંમેશા તેનાથી થતા ફાયદા અને સંભવિત નુકસાનને સમજવા ખૂબ જ જરૂરી છે. જોસેફ જણાવે છે કે હર્બલ ઉત્પાદનો સિંથેટિક અખવા હાર્શ કેમિકલની તુલનામાં વધારે સુરક્ષિત હોય છે.

એક રિસર્ચના અનુસાર વર્ષ 2019માં રાજસ્થાન વિશ્વવિદ્યાલયના સંશોધનકર્તાઓએ હર્બલ ઉત્પાદનો અને સિંથેટિક કેમિકલ્સથી ભરેલા ઉત્પાદન અંગે અભ્યાસ કર્યો. જેમાં સામે આવ્યું કે સિંથેટિક ઉત્પાદનોમાં હર્બલ ઉત્પાદકોની તુલનામાં ખૂબ જ વધુ પ્રમાણમાં હાનિકારક તત્વો જોવા મળ્યા હતાં

નિષ્ણાંતોએ કેટલાક માન્યતાઓને ખોટી ગણાવી

માન્યતા – 1 હર્બલ અને આર્ગેનિક તમામ પદાર્થો સુરક્ષિત હોય છે

હકીકત – ઉત્પાદન પર ઝાડ-પાન હોવાથી અથવા પ્રાકૃતિક શબ્દનો ઉપયોગ કરવાથી તે સુરક્ષિત છે તેવું સાબિત થઇ જતું નથી. વારંવાર સુરક્ષિત લાગતી એલોવેરા જેલ પણ ઘણી વખત રેશીસ અને એલર્જીનું કારણ બની શકે છે.

બીજા શબ્દોમાં કહીએ તો એક પ્રૉડક્ટ કે જે એક વ્યક્તિ માટે લાભદાયી હોઇ શકે છે, તેનો અર્થએ નથી કે તે અન્ય વ્યક્તિ માટે પણ લાભદાયી સાબિત થશે જ. બેંગ્લોર સ્થિત ફિટ ફેસ સ્ટૂડિયોના કાસ્મેટોલૉજીસ્ટ ડૉ. અમિત મુરલીધર આ વાતને સ્પષ્ટ જણાવે છે.

માન્યતા – 2 આપણે એવું વિચારીએ છીએ કે વનસ્પતિથી બનેલા પ્રોડક્ટનો સીધો ત્વચા પર ઉપયોગ કરી શકાય

હકીકત – જો કે, વાસ્તવિકતા કઇંક જુદી છે.. આપણા પૂર્વજો સમયાંતરે હળદરના પાઉડરનો ઉપયોગ કરતાં હતાં આ એક સામાન્ય અને જૂનો ઉપાય છે. ડૉ. મુરલીધર જણાવે છે કે આ હળદરને સીધું ત્વચા પર લગાવાથી તેને નુકસાન થઇ શકે છે.

જાણો આવા જ પ્રાકૃતિક પદાર્થો વિશે જે તમારા સ્વાથ્ય માટે લાભદાયી જોઇ શકે છે.

બેંગ્લોરના નિર્વાણ આર્યુવેદ વેલનેસ સેન્ટરના પ્રમુખ ચિકિત્સક ડૉ. મેઘા નાયક ધ્યાન રાખવા જેવા ઉપાય જણાવે છે.
– ફળના અર્ક એક સરસ અને પ્રાકૃતિક ફેસ પેક અથવા માસ્ક છે. જો તમે તમારી ત્વચાને પ્રાકૃતિક તાજગી આપવા માંગો છો તો
– તમારી ત્વચા માટે મુલતાની માટી સૌથી સારી છે.
– કાકડીમાંથી બનેલા ટોનર ત્વચા માટે સૌછી વધુ ઠંડા છે
– ઘી અને મધ પ્રાકૃતિક લીપ બામ છે. બીટ અને ગાજરથી બનતા ગાજરથી બનતા લીપબામ પણ હોઠ માટે સારા છે.
– મધ અથવા ખાંડનું સ્ક્રબ ગળાની પાછળના કાળા ડાઘા હટાવવા માટે ફાયદાકારક છે.
– લીમડા અથવા ટી ટ્રીના તેલનો ઉપયોગ પ્રાકૃતિક ક્લિન્ઝર તરીકે ઉપયોગ કરી શકાય છે.
તમારી ત્વચાના આધારે પદાર્થોનો ઉપયોગ કરવો જોઇએ.

પ્રોડક્ટ પર લખેલી તમામ માહિતી જોતા રહો
– જે બ્રાંડનું પરીક્ષણ કરવામાં આવ્યું છે તેવી બ્રાન્ડ શોધીને ઉપયોગ કરો
– ત્વચાની સંભાળ રાખવા માટેના નિયમો બદલતા રહો.
– સુગંધી તેલનો ઉપયોગ ન કરો, કેમકે તે ત્વચામાં બળતરા કરી શકે છે.
– લીંબુ જેવા અમ્લીય એસિડ જેવા પદાર્થોથી બચો, કેમકે તે ત્વચાને કડક બનાવે છે.
– હર્બલ ઉત્પાદનોનો વધારે ઉપયોગ ન કરવો
– જો ત્વચા સંબંધિત કોઇ સમસ્યા હોય તો જેમકે વધારે સોજો, દાણા, તેલ, એજિંગ, ધૂળના કારણે ટેનિંગ જેવી તકલીફો અંગે નિષ્ણાંતની સલાહ લો.

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.