728X90

0

0

0

0

0

0

0

0

0

આ લેખમાં

લસણ છે તમારા હૃદયને અનેક લાભ
8

લસણ છે તમારા હૃદયને અનેક લાભ

રોજ ખાતા હોય તે ચટણીમાં અને બ્રેડમાં લસણ ઉમેરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થઈ શકે છે.

આપણા દૈનિક ભોજનમાં લસણનો સમાવેશ કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરી શકે છે કારણ કે તે કુદરતી રીતે લોહી પાતળું છે.

આથી આપણી ચટણીમાં નાંખેલું લસણ આપણા રક્ત પરિભ્રમણ અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. લસણ કુદરતી રીતે અને સરળતાથી ઉપલબ્ધ છે સાથે જ તે લોહીને પાતળું કરનારાઓમાંનું એક છે. તે એક સારું એન્ટી ઇન્ફ્લેમેટ્રી એજન્ટ એટલે બળતરા ઓછું કરનારું પણ છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે જેથી હૃદયના કૉમ્પ્લિકેશન્સ અને ડાયાબિટીસ ઘટાડે છે.

દિલ્હી સ્થિત ન્યુટ્રિશનિસ્ટ અને ધ ઇમ્યુનિટી ડાયેટના લેખક કવિતા દેવગણ કહે છે કે, “જો કે લસણ રસોડાનો અગત્યનો ભાગ છે, પણ ઘણી પ્રાચીન સંસ્કૃતિઓમાં તેનો એક કારણસર ઔષધીય રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેઓ જણાવે છે કે તે છે કે એલિસિનની હાજરી, જે લસણની કળીને લવિંગને ટીચવામાં આવે ત્યારે એન્ઝાઈમેટિક પ્રતિક્રિયા દ્વારા ઉત્પન્ન થતા સંયોજન, તેની લોહી પાતળું કરવાની ક્ષમતા માટે જવાબદાર છે.

લસણ અને વજનમાં ઘટાડો

દેવગણના મતે લસણ ભૂખને ઓછી કરે છે અને તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. “સંશોધન સામે આવ્યું છે કે જ્યારે લસણ ખાવામાં આવે છે ત્યારે તે મગજને તૃપ્તિનો સંકેત આપે છે. તેથી, આપણી ખાવાની શક્યતા ઓછી થાય છે.”

લસણનું સેવન શરીરમાં ફેટ સેલ્સની સંખ્યાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.

“તે એડ્રેનાલિન મુક્ત કરી ચેતાતંત્રને ઉત્તેજીત કરી છે જેથી તે પાચનક્રિયાના બૂસ્ટર તરીકે કામ કરે છે જે તેને કેલરી બર્ન કરવામાં મદદ કરે છે અને વ્યક્તિને આનંદનો અનુભવ થાય છે.” તેવું દેવગન સમજાવે છે.

લસણ પાચનમાં પણ મદદ કરે છે અને બ્લડ શુગર લેવલ ઘટાડે છે. દેવગણ વધુમાં જણાવે છે કે, ” તે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ જાણીતું છે.”

લસણ કુદરતી મૂત્રવર્ધક પદાર્થ પણ છે જે શરીરમાંથી વધારાનું પાણી બહાર કાઢવામાં મદદ કરે છે જે વધુ વજનવાળા ડાયાબિટીસના દર્દીઓમાં અસ્વસ્થતા અને ઉબકાનું કારણ બની શકે છે.

એલિસિનના સ્વાસ્થ્ય લાભો

એસ્ટર સીએમઆઈ હોસ્પિટલ, બેંગલુરુના ક્લિનિકલ ન્યુટ્રિશન અને ડાયેટિક્સના વડા એડવિના રાજ જણાવે છે, કે “લસણનો મહત્તમ લાભ મેળવવા માટે, તેને તાજું છીણને અથવા સમારેને ખાવું જોઈએ (જેથી એલિસિન સક્રિય રહે છે).

ડૉ. રાજ એ પણ જણાવે છે કે લસણના આહાર અને સ્વાસ્થ્ય લાભો પર ઘણા સંશોધનાત્મક અભ્યાસ થયા છે.

“તે લોહીનું કૉલેસ્ટ્રોલ ઘટાડે છે, ખાસ કરીને ટ્રાઇગ્લિસરાઈડનું સ્તર, જે ખરાબ કૉલેસ્ટ્રોલની શ્રેણીમાં આવે છે સાથે જ તે બ્લડ પ્રેશર પણ ઘટાડે છે”

હૃદયના સ્વાસ્થ્યમાં લાભદાયક લસણ

ટેક્સાસમાં રહેતા યોગેશ રુવાલી કે જેમની ઉંમર 46 વર્ષ છે તેઓ યાદ કરતા જણાવે છે કે કેવી રીતે તેમના પિતા, સ્વર્ગસ્થ દુર્ગા દત્ત રુવાલી, તેમના બે-પોઇન્ટ સ્વાસ્થ્ય મંત્રને કારણે કોઈપણ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિના 92 વર્ષ સુધી તંદુરસ્ત જીવન જીવવામાં સફળ રહ્યા.

“મારા પિતાએ વરસાદ પડે કે કોઇ પણ પરિસ્થિતિ હોય પણ તેમનું રોજનું સવાર-સાંજ ચાલવાનું ક્યારેય ચૂકતા ન હતા, બીજું કે તેઓ દરરોજ તેના જમવામાં તાજા છીણેલા લસણનો ઉપયોગ કરવાનું ક્યારે પણ ન ભૂલ્યા.” રુવાલી કહે છે.

તે એવું પણ જણાવે છે કે તેમના પિતા, એક વકીલ હતાં છતાં તેમને ક્યારેય હૃદયની કોઈ સમસ્યા નહોતી અને માર્ચ 2021માં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેઓ સ્વસ્થ જીવન જીવ્યાં હતાં.

લસણના વધુ ફાયદા

લસણની બીજી બહુચર્ચિત ગુણ છે તેની એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી એટલે કે બળતરા વિરોધી ગુણધર્મો છે જે ડાયાલિલ ડિસલ્ફાઇડ (DADS) નામના સંયોજનને આભારી છે.

ઑક્ટોબર 2021 માં પ્રકાશિત થયેલા એક આર્ટિકલ અનુસાર, DADS,લસણના મુખ્ય બાયોએક્ટિવ ઘટક, એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટીઑકિસડન્ટ, એન્ટિમાઇક્રોબાયલ, કાર્ડિયોવેસ્ક્યુલર પ્રોટેક્ટિવ, ન્યુરોપ્રોટેક્ટીવ અને કેન્સર વિરોધી પ્રવૃત્તિઓ સહિત ઘણા ફાયદાકારક જૈવિક કાર્યો કરે છે.

આ બળતરા વિરોધી સંયોજન પ્રો-ઇન્ફ્લેમેટરી સાઇટોકીન્સ (નાના પ્રોટીન)ની અસરોને મર્યાદિત કરે છે. જો તમને સાંધા અથવા સ્નાયુઓમાં દુખાવો અને સોજો છે, તો તમે તેના પર લસણનું તેલ લગાવી શકો છો.

ડૉ. રાજ જણાવે છે, “માણસો અને પ્રાણીઓ પરના કેટલાક અભ્યાસોએ તેને તેના એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો માટે ઉપયોગી હોવાનું દર્શાવ્યું છે, પરંતુ સંશોધકો સૂચવે છે કે આ વિષય પર વધુ અભ્યાસની જરૂર છે.”

લસણ કેવી રીતે ખાવું?

  • તમારે ભોજનમાં હંમેશા લસણને ટીચીને ઉમેરો.
  • ખાલી પેટે લસણ ક્યારેય પણ ન ખાઓ કારણ કે તેનાથી હાર્ટબર્ન અને ગેસ્ટ્રિકની સમસ્યા થઈ શકે છે.
  • ચટણીમાં પણ પૂરતી માત્રામાં લસણ ઉમેરો.
  • લસણને ચણા-આધારિત હમસ ડીપ્સ અને સ્પ્રેડ સાથે ભેળવવાનો પ્રયાસ કરો
  • તેને તમારા સલાડનું પણ ઇન્ગ્રીડિયન્ડ બનાવો.

દેવગણના જણાવ્યા મુજબ, સારી વાત એ છે કે તેનો ફાયદા મેળવવા માટે તમારે દરરોજ માત્ર 1 – 2 મધ્યમ કદની લસણની કડીની જરૂર છે. તમારે ફક્ત તેના તીખા સ્વાદ અને ગંધની આદત પાડવાની જરૂર છે. દેવગણ કહે છે, “તેના ફાયદાનો લાભ લેવો એ એટલું મોટું કામ નથી.”

ડૉ. રાજ ચેતવણી આપે છે કે, “ભારત જેવી કેટલીક સંસ્કૃતિઓમાં તે અથાણા તરીકે ખાવામાં આવે છે, પરંતુ વધારે મીઠું અને મસાલાની સામગ્રીને કારણે, હૃદય સંબંધી સમસ્યાઓથી પીડાતા કોઈ પણ માટે તેને આરોગવાની ભલામણ કરવામાં આવતી નથી.”

હૃદય માટે લસણનું હેક્સ

દેવગણના મતે, લસણના ફાયદાને વધારવા માટે, તેનો ઉપયોગ કરતા પહેલા તેને ક્રશ કરીને થોડીવાર માટે ખુલ્લી હવામાં છોડી દેવો શ્રેષ્ઠ છે.

દેવગણ સમજાવે છે કે “આ એટલા માટે છે કારણ કે કાચું લસણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને એલિસિન બનાવે છે, જે એકાઉન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે જે સ્વાસ્થ્ય લાભ ધરાવે છે.”

દેવગણ સલાહ આપે છે, તેનો સ્વાદ જેટલો સ્ટ્રોન્ગ છે, લસણના સ્વાસ્થ્ય લાભો વધારે છે. “તેથી, તેને તમારા ટોસ્ટ, સૂપ, સલાડ અથવા તો સ્ટિયર-ફ્રાઈ કરીને ઉમેરવા જોઇએ.”

ડૉ. રાજ કહે છે, “જો કે મોટા પ્રમાણમાં લસણ લેવામાં આવે તો તે ઝેરી હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે તેની તીક્ષ્ણતાને કારણે કોઈ આવું કરતું નથી.”

લસણ સપ્લિમેન્ટ
કેટલાક લોકો લસણને છોલીને કાપવાની ઝંઝટ વિના ખાવા માંગે છે અને તૈયાર સપ્લીમેન્ટ્સ તરફ આકર્ષિત થઈ શકે છે.

ડૉ. રાજ સલાહ આપે છે કે જો કોઈ વ્યક્તિ તેમના આહારમાં પૂરક તત્વો ઉમેરવા માંગે છે, તો તેમણે ડૉક્ટર અથવા કાર્ડિયોલોજિસ્ટની સલાહ લીધા વિના તેમ ન કરવું જોઈએ, ખાસ કરીને જો તેમને કોઈ પહેલાથી અસ્તિત્વમાં રહેલી હૃદયની બીમારી હોય તો.

યાદ રાખવા જેવા મુદ્દા

લસણ, એક પોષક તત્વોનું પાવર હાઉસ, લોહીના ગંઠાવાનું અટકાવીને, બ્લડ પ્રેશર અને કૉલેસ્ટ્રોલ ઘટાડીને અને વજન ઘટાડવામાં મદદ કરીને હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. જો યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો, લસણ લોહીને પાતળું કરનાર તેમજ સંભવિત બળતરા વિરોધી એજન્ટ તરીકે કામ કરે છે.

સંબંધિત ટેગ

સંબંધિત પૉસ્ટ

તમારો અનુભવ શેર કરો/ કમેન્ટ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ટ્રેન્ડિંગ

આર્ટિકલ

આર્ટિકલ
સલામત સેક્સ પ્રેક્ટિસને અનુસરીને અને સ્વચ્છતાના પગલાં અને ભાગીદારોની પસંદગી અંગે ચર્ચા કરવાથી પીરિયડ્સ દરમિયાન આત્મીયતા વધુ સારી બની શકે છે
આર્ટિકલ
નિષ્ણાતો કહે છે કે, લોહીમાં શુગરનું ઊંચું સ્તર ધરાવતાં બાળકોના જીવનના પાછળના ભાગમાં ટાઇપ-1 અથવા ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
આર્ટિકલ
જવના પાણીમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને તે હાઇડ્રેશન તથા અમુક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં મદદ કરી શકે છે, જો કે એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે તે ક્રોનિક કિડની ડિસીઝને રિવર્સ કરી શકે છે.
આર્ટિકલ
સવારને વધુ સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે સંતુલિત નાસ્તાની જરૂર પડે છે. દૈનિક જરૂરીયાતની ઉર્જાનો 15-25% ઉર્જા સવારના નાસ્તામાંથી મળવી જોઈએ.
આર્ટિકલ
તડકામાં ચાલવાથી ઘણા ફાયદા થાય છે. વિટામિન ડીના સંશ્લેષણમાં વધારો થવાથી લઈને સેરોટોનિનના ઉત્પાદનમાં વધારો થાય છે. જો કે, તડકામાં લાંબા સમય સુધી રહેવાથી નકારાત્મક અસર પણ થાય છે
આર્ટિકલ
શરદીથી કાનમાં દુખાવો કેમ થાય છે તે જાણીએ અને તેને અટકાવવા અને તેને નિવારવા માટે નિષ્ણાત દ્વારા જણાવવામાં આવેલી અસરકારક રીત જાણીએ.

0

0

0

0

0

0

0

0

0

Opt-in To Our Daily Healthzine

A potion of health & wellness delivered daily to your inbox

Personal stories and insights from doctors, plus practical tips on improving your happiness quotient
We use cookies to customize your user experience, view our policy here

આપનો ફીડબેક સફળતાપૂર્વક સબમીટ કરવામાં આવ્યો છે.

હેપ્પીએસ્ટ હેલ્થની ટીમ ઝડપથી તમારા સુધી પહોંચશે.