ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, જોધપુરના સંશોધકોની નવા સ્માર્ટફોનના કેમેરા અને એપ્લિકેશન સાથે ગ્લુકોઝ લેવલનું પરીક્ષણ કરવા માટે ઉપકરણ વિકસાવ્યું છે. જે સરળ અને સ્થળ પર પરિણામો માટે ઝડપી-નિદાન ગ્લુકોઝ સ્તરની કલ્પના કરે છે. આ નવી સિસ્ટમ બ્લડ ગ્લુકોઝના સ્તરને શોધવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પેપર-બેઇઝ્ડ એનાલિટીકલ ડિવાઇઝ (PAD)ને સ્માર્ટફોન સાથે જોડે છે.
પેપર-બેઝ્ડ એનાલિટીકલ ડિવાઇસ શું છે?
PAD એ પોર્ટેબલ ડિવાઇઝ છે જે બાયોકેમિકલ નમૂનાઓનું ઝડપથી ટેસ્ટીંગ કરીને પૉઈન્ટ-ઑફ-નીડ પરીક્ષણમાં ક્રાંતિ લાવી છે. તે લેબ-આધારિત ફંક્શ્નલાઇઝ્ડ બાયોડિગ્રેડેબલ કાગળ સાથે આવે છે જે લોહીના નમૂનામાં રહેલા ગ્લુકોઝના લેવલ અને અમાઉન્ટના આધારે રંગ બદલે છે. સ્માર્ટફોન કેમેરાનો ઉપયોગ પછી ગ્લુકોઝના લેવલને ટ્રેક કરવાની પ્રક્રિયાને ઝડપી બની શકે છે.
IIT જોધપુરની ટીમ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,”મશીન લર્નિંગ ટેક્નિકનો ઉપયોગ કરીને આ સિસ્ટમને તમામ સ્માર્ટફોન કેમેરા સાથે કંપેટેબલ બનાવવા માટે વિકસાવવામાં આવી છે.” PADની એક ખામી એ છે કે તેને કામ કરવા માટે પ્રકાશની ચોક્કસ પરિસ્થિતિઓની જરૂર પડે છે. આ સ્થિતિને દૂર કરવા માટે, નવી પદ્ધતિ વિકસિત સિસ્ટમ PADના કામ કરવાની અને વેરિયેબલ લાઇટ કંડિશન હેઠળ સ્માર્ટફોનમાં માહિતી પ્રસારિત કરવાની મંજૂરી આપે છે.
ગ્લુકોઝ ટેસ્ટીંગ : ઝડપી અને કોસ્ટ-ઇફેક્ટિવ પરિણામ
નવું ઉપકરણ લેબોરેટરીના સાધનો વગર જે તે જગ્યાએ જ ગ્લુકોઝ ટેસ્ટ કરીને તેનુ રિઝલ્ટ આપે છે. IIT જોધપુરના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના એસોસિયેટ પ્રોફેસર,અંકુર ગુપ્તાએ જણાવ્યું હતું કે,”અમારી ટીમ પ્રમાણમાં સસ્તા,સંવેદનશીલ અને સાધન-મુક્ત એવા સોલ્યુશન્સ માટે સસ્તી ડિઝાઇન પર કામ કરી રહી છે જે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત કરેલા માપદંડો હેઠળ આવવા જોઇએ છે.” આ અભ્યાસમાં તેમની સાથે તે જ સંસ્થાના વિનય કિશ્નાની, નિખિલ કશ્યપ અને શિવમ શશાંક હતા. પ્રોફેસર ગુપ્તા ઉમેરે છે, “આ મોડ્યુલને કૃત્રિમ નમૂનાઓ સાથે અજમાવવામાં આવ્યું છે અને વાસ્તવિક નમૂનાઓ સાથે તેની ચકાસણી કરવાની બાકી છે.”
વધુમાં, ગ્લુકોઝ ટેસ્ટિંગ માટેના આ ઉપકરણને કોસ્ટ ઇફેક્ટિવ અને બાયોડિગ્રેડેબલ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેની વર્તમાન કિંમત રૂ. 10 છે. ટીમને આશા છે કે એકવાર તેનું મોટા પાયે ઉત્પાદન થઈ જાય પછી તેની કિંમત અડધી થઈ જશે.
અન્ય રોગોને શોધવા માટે PADનો ઉપયોગ
જ્યારે અત્યારની આ સિસ્ટમ ફક્ત ગ્લુકોઝના નમૂનાઓ માટે જ કામ કરે છે, ડૉ. ગુપ્તાએ કહ્યું, “આ ડિસપોઝેબવ માઇક્રોસિસ્ટમ અન્ય રોગોની પ્રારંભિક તપાસમાં મદદ કરી શકે છે. તે ખાસ કરીને છેવાડાના સ્થળો માટે ફાયદાકારક બની શકે છે. તેનો મૂળ સિદ્ધાંત તો સમાન રહે છે, આ ડિવાઇસને વિવિધ લક્ષ્ય વિશ્લેષકો,એન્ઝાઇમ અને ઇન્ડિકેટર્સ માટે એડપ્ટિવ બનાવવાની જરૂર છે. સંશોધન ટીમ અત્યારે ગ્લુકોઝ, યુરિક એસિડ અને લેક્ટેટ અંગેની માહિતી એક સાથે મેળવી શકાય તે વિષય પર કામ કરી રહી છે અને વિવિધ રંગ સૂચકાંકોનો ઉપયોગ કરીને વિવિધ રંગ કોડ્સનો ઉપયોગ કરી રહી છે. PAD પર કેપ્ચર કરેલા ફોટાનો ઉપયોગ મશીન લર્નિંગ દ્વારા એનાલિસીસની ટ્રેનિંગ માટે કરી શકાય છે, જે ડાયગ્નોસ્ટિક માહિતીને વપરાશકર્તાના સ્માર્ટફોન સુધી સીધી પહોંચાડાશે.
યાદ રાખવા જેવા મુદ્દા
IIT જોધપુરના સંશોધકોએ એક નવી પદ્ધતિ વિકસાવી છે જ્યાં સ્માર્ટફોનનો ઉપયોગ ગ્લુકોઝના સ્તરને ચકાસવા માટે કરી શકાય છે. આ નવી સિસ્ટમ પ્રમાણે, સ્માર્ટફોન એપ્લિકેશનનો ઉપયોગ કરીને વ્યક્તિના શુગર લેવલને જાણવા માટે એક સરળ PADનો ઉપયોગ કરવામાં આવે છે. જે સ્માર્ટફોનને સરળ અને ઝડપી પરિણામો માટે ગ્લુકોઝ લેવલનું પરીક્ષણ કરવામાં મદદ કરવા સક્ષમ બનાવે છે.